ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાંડેસરા ખાતે ડાયાબિટીસ ગ્રસ્તો માટે યોગ શિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાંડેસરા ખાતે ડાયાબિટીસ ગ્રસ્તો માટે યોગ શિબિર યોજાઈ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે સુરત શહેરના પાંડેસરા ખાતે તાઃ૧૪ અને ૧૫મીના રોજ બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું છે.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના થઈ છે, જેના ભાગરૂપે યોગ દ્વારા ડાયાબિટીસના દર્દીનો પરીક્ષણ કર્યા બાદ નિષ્ણાંત તબીબના માર્ગદર્શન અનુસાર, યોગ, પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા ડાયાબિટીસથી મુક્ત કરાવવાનો પ્રયત્ન અંતર્ગત શિબિરમાં કુલ ૧૯૦ રજીસ્ટ્રેશન થયા હતા. જેમાં પ્રથમ દિવસે રોજ સવારે ૬.૦૦થી ૮.૦૦ વાગ્યા દરમિયાન દર્દીઓને નિષ્ણાંત યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોગ કરાવવામાં આવ્યા હતા. દરેક દર્દીનો શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ થાય તેવો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, નો ઉદ્દેશ છે.
આ પ્રસંગે ડૉ.વિમળ રાઠિ, કોર્પોરેટર શ્રી બળવંત ભાઇ પટેલ,મહાનગરપાલિકાના કોર્ડીનેટર -ડો પારુલ પટેલ,સમાજ સેવક ચંદુ ભાઇ જાનકી, વર્ગ ઇન્સ્પેક્ટર નવનીત શેલડિયા,SMC સ્વાસ્થ્ય વિભાગની ટીમ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ, ટ્રેઈનરો સાધકો એયોગ શિબિરમાં હાજરી આપી લાભ લીધો હતો.