ઈડીના ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે : AAP અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો જવાબ

ઈડીના ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે : AAP અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો જવાબ
દિલ્હી એકસાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. EDના આરોપો પર કેજરીવાલે કહ્યું કે તપાસ એજન્સીના ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે છે. તેમના નિવેદનના આધારે જ મારી પરપકડ
કરવામાં આવી હતી. ઈડી દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડની તપાસ કરી રહી છે અને તેણે ૨૧ માર્ચે
કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલે ઈક્રની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. થોડા દિવસો પહેલા EDએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો. હવે કેજરીવાલે પણ આ મામલે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. કેજરીવાલે પોતાના જવાબમાં કહ્યું હતું કે ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે છે. કેજરીવાલે કહ્યું, ‘ભાજપ સમર્થિત લોકસભાના ઉમેદવાર મગુંતા શ્રીનિવાસન રેકી, ભાજપને કથિત દારૂ કૌભાંડમાં ૬૦ કરોડ રૂપિયાનું દાન આપનારા સરથ રેકી, ભાજપના ગોવાના એક સિનિયર નેતા અને પ્રમોદ સાવંતના નજીકના অদ্রির સત્ય વિજય, ગોવાના મુખ્યમંત્રીના નજીકના અને સીએમના કેમ્પેઇન મેનેજરના નિવેદનના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી.” દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું હતું કે હવાલા એજન્ટ પાસેથી ગુજરાતીમાં લખેલી ડાયરી મળી આવી છે. ભાજપે પોતાની રીતે પુરાવા તૈયાર કર્યા અને રજૂ કર્યા છે.