ગુજરાત

પરંપરાગત હેરિટેજ બ્રાન્ડ ‘સિધી મારવાડી’ હવે ગુજરાતમાં; સુરતમાં નવા શો-રૂમનો પ્રારંભ

પરંપરાગત હેરિટેજ બ્રાન્ડ ‘સિધી મારવાડી’ હવે ગુજરાતમાં; સુરતમાં નવા શો-રૂમનો પ્રારંભ

સિધી મારવાડીનું લક્ષ્ય 2025-26 દરમિયાન સમગ્ર ભારતમાં 100થી વધુ આઉટલેટ્સ ખોલવાનું છે.
સુરત, ૦૪ મે, ૨૦૨૫ : ભારતના ઝડપથી વિકસતા ગ્રામીણ ફૂડ બ્રાન્ડ્સમાંની એક એવી ‘સિધી મારવાડી’ જે પરંપરાગત પદ્ધતિથી બનેલી વસ્તુઓ અને મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત છે તેણે ગુજરાતમાં તેના બીજા સ્ટોરનો પ્રારંભ કર્યો છે. સુરતના પરવત પાટિયા વિસ્તારમાં આવેલો આ સ્ટોર કંપનીનો ભારતમાં આવેલો 11મો સ્ટોર છે. હવે તેમનું લક્ષ્ય 2025–26ના અંત સુધીમાં સમગ્ર ભારતમાં 100થી વધુ સ્ટોર શરૂ કરવાનો છે.
500 ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલો આ સ્ટોર, અભિલાષા હાઇટ્સ, આઈ માતા ચોક ખાતે આવેલો છે. જેનું સંચાલન એક સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિક શ્રીમતી જયશ્રી શિલેશભાઈ ચૌહાણ કરે છે.
આ સ્ટોર ફ્રેન્ચાઇઝી મોડલ હેઠળ શરૂ કરવામાં આવ્યો છે. જેનો હેતુ ખાસ કરીને મહિલાઓમાં પાયાથી ઉદ્યોગસાહસિકતા વધારવાનો છે. આ મોડલ સિધી મારવાડીના મિશનનું કેન્દ્ર સ્થાન છે. જેનો ઉદ્દેશ્ય સ્થાનિક નેતાઓને સશક્ત બનાવી અને ભારતના ખાદ્ય ક્ષેત્રમાં પરિવર્તન લાવતાં શ્રેષ્ઠ ગ્રામિણ ઉદ્યોગસાહસિકોને માન આપવાનો છે .
કૌશલ્યા ચૌધરી દ્વારા સ્થાપિત, ‘સિધી મારવાડી’ આજે રાષ્ટ્રીય સ્તરે વિકાસ પામતી એક લોકપ્રિય બ્રાન્ડ છે. ગ્રામિણ મહિલા ઉદ્યોગસાહસિક તરીકે ઉભરતા કૌશલ્યાબેને આ યાત્રાની શરૂઆત એક નાનકડાં ગામના રસોડામાંથી થોડીક રેસીપી અને એક મજબૂત વિશ્વાસ સાથે કરી હતી કે શુદ્ધ ખોરાક દરેક લોકો સુધી પહોંચવો જોઈએ. સિધી મારવાડી તેના કોલ્ડ-પ્રેસ્ડ તેલ, સૂકા શાકભાજી અને પરંપરાગત મસાલાઓ માટે ઓળખાય છે. જે કોઈપણ ભેળસેળ વિના અને પારંપરીક પદ્ધતિઓથી બનાવવામાં આવે છે.
કૌશલ્યા ચૌધરી જણાવે છે કે, ‘આ યાત્રાની શરૂઆત એક ગામના રસોડાથી થોડીક રેસીપી અને એ વિશ્વાસ સાથે થઈ હતી કે શુદ્ધ અને સારો ખોરાક દરેકને મળવો જોઈએ. પણ માત્ર તેટલું જ પુરતું નથી. એવું પ્લેટફોર્મ પણ બનવું જોઈએ જ્યાં મહિલાઓ ખાસ કરીને જેની પાસે કોઈ અનુભવ ન હોય તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. સુરતમાં સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિક સાથે સ્ટોર ખોલવો એ માત્ર બ્રાન્ડની વૃદ્ધિ જ નથી. પરંતુ અમારા વિકાસના મોડલનું મૂળ પણ છે. અમે ઇચ્છીએ છીએ કે લોકો સુધી પહોંચવામાં તે અમને સહભાગી થાય અને સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે.’
સિધી મારવાડી એ શુદ્ધતા, વિશ્વાસ અને મહિલા સશક્તિકરણને પોતાના આધારસ્તંભો માને છે.
અસલ ભારતીય સ્વાદ માટે વૈશ્વિક ઓળખ મેળવવાનો દ્રષ્ટિકોણ ધરાવતું આ બ્રાન્ડ, પરંપરાગત ખોરાક અને આધુનિક રિટેલનો સમન્વય કરીને રસોઈના અનુભવની એક નવી વ્યાખ્યા આપે છે. એટલા માટે તેને માત્ર એક ફૂડ બ્રાન્ડ તરીકે જ નહી પરંતુ ભારતના શ્રેષ્ઠ ગ્રામિણ ઉદ્યોગસાહસિકો દ્વારા સંચાલિત નેશનલ મુવમેન્ટ તરીકે પણ જોવામાં આવે છે.
આ બ્રાન્ડ હવે ગુજરાતના વધુ લોકો સુધી પહોંચવા માટે તૈયાર છે. હવે આગામી સ્ટોર મહેસાણા, વડોદરા, રાજકોટ, ભરૂચ, ગાંધીનગર, પાલનપુર સહિત રાજ્યના વિવિધ ટિયર-૨ શહેરોમાં શરૂ કરવામાં આવશે.
કંપની 7 જુલાઈના રોજ એક રાષ્ટ્રીય ઇવેન્ટ યોજવા જઈ રહી છે. જેમાં તે નવા પ્રોડક્ટની શ્રેણી અને આગામી વિકાસના પગલાંઓની જાહેરાત કરશે.
સિધી મારવાડી વિશે:
સિધી મારવાડી એ એક ભારતીય ફૂડ બ્રાન્ડ છે, જે 100% કુદરતી અને પરંપરાગત પદ્ધતિઓથી બનાવેલા ઉત્પાદનો માટે જાણીતી છે. કંપનીના સ્થાપક કૌશલ્યા ચૌધરીના નેતૃત્વમાં, બ્રાન્ડે સાંસ્કૃતિક વારસાને સ્થાનિક ઉદ્યોગસાહસિકતા સાથે જોડી એક અનોખું મોડલ ઊભું કર્યું છે. જે ખાસ કરીને મહિલાઓને વ્યવસાયિક રીતે પગભર થવામાં મદદ કરે છે. હાલમાં બ્રાન્ડના 11 સ્ટોર ભારતમાં કાર્યરત છે અને તે 2026 સુધીમાં 100થી વધુ સ્ટોર ખોલવાનું લક્ષ્ય ધરાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button