ગુજરાત

અદાણી ફાઉન્ડેશનનો હેલ્થકેર ક્ષેત્રમાં ગ્લોબલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે DMIHER સાથે સહયોગ

અદાણી ફાઉન્ડેશનનો હેલ્થકેર ક્ષેત્રમાં ગ્લોબલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે DMIHER સાથે સહયોગ

 

• આ સહયોગ ચેરમેન ગૌતમ અદાણીના ફિલસૂફી ‘સેવા હી સાધના હૈ’ થી પ્રેરિત છે.

• આ જોડાણનો ઉદ્દેશ શૈક્ષણિક નવીનતા, ક્લિનિકલ સંશોધન અને સમુદાય આરોગ્યમાં સંસ્થાની પહોંચ અને અસરને મજબૂત બનાવવાનો છે.

• આ જોડાણ અદાણી ગ્રુપના ‘ટેમ્પલ ઓફ હેલ્થકેર’ ધારણા સાથે સુસંગત છે, જે આરોગ્યસંભાળ સુવિધાઓને માત્ર સારવાર કેન્દ્રો તરીકે જ નહીં, પરંતુ સેવા, ગૌરવ અને કરુણાની સંસ્થાઓ તરીકે જૂએ છે.

 

 

અમદાવાદ, ૨૬ જૂન ૨૦૨૫: અદાણી ગ્રુપની સીએસઆર શાખા અદાણી ફાઉન્ડેશને મહારાષ્ટ્ર સ્થિત ડીમ્ડ-ટુ-બી યુનિવર્સિટી, દત્તા મેઘે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ (DMIHER) સાથે જોડાણ કર્યું છે. પોષાય તેવી આરોગ્યસંભાળ શિક્ષણ અને ડિલિવરી મિકેનિઝમમાં વૈશ્વિક શ્રેષ્ઠતા કેન્દ્ર (CoE) તરીકે તેને વિકસાવવામાં આવશે.

 

આ સહયોગ ચેરમેન ગૌતમ અદાણીના ફિલસૂફી: “સેવા હી સાધના હૈ” થી પ્રેરિત છે અને રાષ્ટ્ર નિર્માણ માટે વૈવિધ્યસભર જૂથના ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ અને શિક્ષણની પહોંચને પ્રતિબિંબિત કરે છે.

ભારતના આરોગ્યસંભાળ શિક્ષણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવું

DMIHER સાથેના જોડાણનો મુખ્ય હેતુ શૈક્ષણિક નવીનતા, ક્લિનિકલ સંશોધન અને સમુદાયના આરોગ્યમાં સંસ્થાની પહોંચ અને અસરને મજબૂત બનાવવાનો છે.

 

DMIHER હાલમાં નીચેના પ્રકલ્પોમાં કાર્યરત છે:

• 15 સંસ્થાઓ અને 5 શિક્ષણ હોસ્પિટલો

• અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક, સુપર-સ્પેશિયાલિટી, ડોક્ટરલ અને ફેલોશિપ અભ્યાસક્રમો સહિત 13 શાખાઓમાં 217 શૈક્ષણિક કાર્યક્રમો

• આ સહયોગ અદાણી ગ્રુપના “ટેમ્પલ ઓફ હેલ્થકેર” ખ્યાલ સાથે સુસંગત છે, જે આરોગ્યસંભાળ સુવિધાઓને ફક્ત સારવાર કેન્દ્રો તરીકે જ નહીં, પરંતુ સેવા, ગૌરવ અને કરુણાની સંસ્થાઓ તરીકે જૂએ છે.

સમાવિષ્ટ વિકાસ માટે સહિયારું વિઝન:

અદાણી ફાઉન્ડેશન અને DMIHER વચ્ચેનો સહયોગ સ્કેલેબલ પોષાય તેવું અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ અને શિક્ષણ માટે માર્ગ મોકળો કરશે. તે હેતુપૂર્ણ સેવા દ્વારા સમુદાયોને ઉત્થાન આપવાના અદાણી ફાઉન્ડેશનના મિશનને પણ રજૂ કરે છે – જ્યાં તક, સુલભતા અને કરુણાનો સંગમ થાય છે.

નેતૃત્વની આંતરદૃષ્ટિ:

અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે “DMIHER સાથેનો આ સહયોગ અમારા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે કે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ અને શિક્ષણની પહોંચ એ એક મૂળભૂત અધિકાર છે – વિશેષાધિકાર નથી. અમને એક એવા સેન્ટર ઓફ એક્સેલન્સના નિર્માણને સમર્થન આપવાનો ગર્વ છે જે શૈક્ષણિક નવીનતા, ક્લિનિકલ સંશોધન અને સમુદાય સંભાળને જોડશે. અમે સૌ સાથે મળીને એક સ્કેલેબલ મોડેલ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ જે ગૌરવ સાથે સેવા આપે છે અને 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ ના ધ્યેયમાં અર્થપૂર્ણ યોગદાન આપે છે.”

DMIHER ના સ્થાપક શ્રી દત્તા મેઘેએ જણાવ્યું હતું કે “આ સહયોગ જોઈને મને ખૂબ ગર્વ થાય છે. 35 વર્ષોમાં આત્મનિર્ભર આરોગ્ય અને શિક્ષણ ઇકોસિસ્ટમનું અમારું વિઝન એક શક્તિશાળી વાસ્તવિકતામાં પરિપક્વ થયું છે. અદાણી ફાઉન્ડેશન સાથે સહયોગ કરવો એ પ્રાદેશિક અને રાષ્ટ્રીય વિકાસ બંનેને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું છે. 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ ની ભાવનામાં આ જોડાણ સમાવિષ્ટ અને ટકાઉ પ્રગતિ પ્રત્યેની અમારી સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button