અદાણીનો USD ૧.૨ બિલિયનના રોકાણ સાથે કચ્છમાં નિર્માણાધિન કોપર પ્લાન્ટ ભારતના ધાતુ ક્ષેત્રના ચળકાટમાં અભિવૃધ્ધિ કરશે

અદાણીનો USD ૧.૨ બિલિયનના રોકાણ સાથે કચ્છમાં નિર્માણાધિન કોપર પ્લાન્ટ ભારતના ધાતુ ક્ષેત્રના ચળકાટમાં અભિવૃધ્ધિ કરશે
8 આવતા મહિનામાં પ્રથમ તબક્કાનું કામ આરંભાશે
અબજોપતિ ગૌતમ અદાણીના વડપણ હેઠળના વૈવિધ્યસભર ઉદ્યોગોના ભારતના શિરમોર અદાણી સમૂહનો ગુજરાતમાં કચ્છના મુંદ્રા ખાતે ફક્ત એક જ સ્થળ ઉપર USD 1.2 બિલિયનના મૂડી રોકાણથી. નિર્માણ પામી રહેલો વિશ્વનો સૌથી મહાકાય તાંબાનો ઉત્પાદન પ્લાન્ટ ધાતુ (મેટલ)ના ઉત્પાદન ક્ષેત્રની કાયાપલટ કરવા ઉપરાંત તાંબાની આયાત ઉપર ભારતની નિર્ભરતા ઘટાડવામાં અને ઊર્જા સંક્રમણમાં ગણનાપાત્ર મદદ કરશે.
અદાણી નેચરલ રીસોર્સઝના સી.ઇ.ઓ. અને કચ્છ કોપર લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડો.વિનય પ્રકાશે આ માહિતી આપતા કહ્યું હતું કે મબલખ રોકાણ ધરાવતી તાંબા ઉત્પાદનની આ સુવિધા હેઠળ પ્રથમ તબક્કકાની કામગીરીનો આવતા માર્ચ માસના અંત સુધીમાં આરંભ કરવામાં આવશે અને નાણાકીય વર્ષ-૨૯ના માર્ચ મહિના સુધીમાં એક મિલિયન ટનની ક્ષમતા હાંસલ કરવામાં આવશે,
તેમણે કહ્યું કે ફોસિલ ફ્યુઅલ યાને કે અશ્મિભૂત ઇંધણથી સંક્રમણથી દૂર હટવા માટે નિર્ણાયક તાંબાના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરી રહેલા ચીન અને અન્ય દેશોમાં આ પ્રોજેકટ સાથે ભારત જોડાયું છે તે એક મહત્વનો ટર્નિંગ પોઇન્ટ છે. ઈલેક્ટ્રિક વાહનો માટેનું ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, .સોલર ફોટોવોલ્ટેઈક્સ (PV), પવન અને બેટરી જેવા ઉર્જા સંક્રમણ માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓમાં તાંબાની જરૂર પડે છે.
ડો. વિનય પ્રકાશે જણાવ્યું હતું કે અદાણી સમૂહની મુખ્ય અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) ની પેટા કંપની કચ્છ કોપર લિમિટેડ (KCL) બે તબક્કામાં વાર્ષિક એક મિલિયન ટનની ક્ષમતા સાથે રિફાઇન્ડ કોપરના ઉત્પાદન માટે ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરી પ્રોજેક્ટની સ્થાપના કરી રહી છે.
પ્રોજેક્ટના ફંડીંગ વિષે તેમણે કહ્યું હતું કે કચ્છ કોપર લિ.એ. વાર્ષિક ૫ લાખ ટનની ક્ષમતાના પ્રથમ તબક્કા માટે જૂન -૨૨ માં સિન્ડિકેટેડ ક્લબ લોન દ્વારા ફાયનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું હતું.
“તાંબાના વ્યવસાયમાં અદાણી વૈશ્વિક નેતૃત્વ લેવાનો ઇરાદો ધરાવે છે, અદાણી સમૂહ તેની રિસોર્સ ટ્રેડિંગ, લોજિસ્ટિક્સ, રિન્યુએબલ પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મજબૂત સ્થિતિનો લાભ ઉઠાવી નવા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે,” એમ જણાવતા તેમણે હતું. કે ” ૨૦૩૦ સુધીમાં વિશ્વનું સૌથી મોટું કોપર સ્મેલ્ટિંગ સંકૂલ બનવાનું કંપનીનું લક્ષ્ય છે.”
તેમણે કહ્યું કે ભારતનો અંદાજે માથાદીઠ તાંબાનો વપરાશ વૈશ્વિક સરેરાશ ૩.૨ કિગ્રાની તુલનામાં ૦.૬ કિગ્રાનો છે. સ્વચ્છ ઉર્જા પ્રણાલીઓ તરફ ભારતની ગતિ, ઈલેક્ટ્રિક વાહનોનો વધતો પ્રવેશ અને તેની સાથે સંકળાયેલા ઘણા બધા કાર્યક્રમોને જોતા ૨૦૩૦ સુધીમાં સ્થાનિક તાંબાની માંગ બમણી થવાની અપેક્ષા છે.
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંગે વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતુઃ કે “અદાણી સમૂહ ઉર્જા સંક્રમણના ક્ષેત્રમાં ભારે રોકાણ કરી રહ્યું છે, જેમાં તાંબુ મહત્ત્વની ભૂમિકા ભજવશે. તે પોતાની વર્તમાન ક્ષમતાઓ ધરાવતા ઔદ્યોગિક પ્રકલ્પોના નજીકના ક્ષેત્રોમાં વિસ્તરી રહ્યું છે, જે કોપરના વ્યવસાયને વ્યૂહાત્મક રીતે ઉચિત બનાવે છે,” તેમણે ઉમેર્યું હતું. કે સ્ટીલ અને એલ્યુમિનિયમ બાદ.કોપર એ ત્રીજી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઔદ્યોગિક ધાતુ છે અને ઝડપથી વિકસતા રિન્યુએબલ એનર્જી, ટેલિકોમ અને ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગોને કારણે તેની માંગ વધી રહી છે.
દેશમાં નાણા વર્ષ-૨૩માં ૭,૫૦ લાખ ટન તાંબાનો વપરાશ થયો હોવાનો અંદાજ છે (વર્ષ -૨૨માં 612 KT).ગ્રીન એનર્જી ઉદ્યોગની ભારે માંગને પગલે ૨૦૨૭ સુધીમાં આ આંકડો વધીને ૧.૭ મિલિયન ટન થવાની ધારણા છે.
ડો. વિનય પ્રકાશે આ પ્રોજેક્ટની મહત્તા ઉપર પ્રકાશ પાડતા કહ્યું કે ફક્ત સોલાર ફોટોવોલ્ટેઇક (PV) પ્રકલ્પોમાંથી તાંબાની વૈશ્વિક માંગ વર્તમાન દાયકામાં બમણી થઈને ૨.૨૫ મિલિયન ટન થવાનો અંદાજ છે. રિન્યુએબલ પોર્ટફોલિયોમાં ઝડપથી વૃદ્ધિ કરી રહેલો અદાણી સમૂહ આ લાલ ધાતુનો નોંધપાત્ર ગ્રાહક હશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોપર મેન્યુફેક્ચરિંગમાં અદાણી સમૂહનું પદાર્પણ તેના ટ્રેડિંગ, માઈનિંગ, લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ વ્યવાસાયોનું કુદરતી વિસ્તરણ છે. ભારત પૂરતું ઉત્પાદન કરતું નહી હોવાથી “કંપની પાસે તાંબાની આયાત કરવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સંસાધનો છે અને .અદાણીને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોની માંગ અવિરત પૂરી કરવા માટે પશ્ચિમ તટ વધારાનો સ્પર્ધાત્મક લાભ પૂરો પાડે છે.
તેમણે જણાવ્યું હતું. કે કોપર કેથોડ્સ અને સળિયા તેમજ સોના, ચાંદી, સેલેનિયમ અને પ્લેટિનમ જેવી મૂલ્યવાન આડપેદાશોનું કચ્છ કોપર ઉત્પાદન કરશે.
વધુમાં ફોસ્ફેટિક ખાતરો, ડિટર્જન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, વિશેષ રસાયણો, કાગળ અને સુગર બ્લીચિંગ અને વોટર ટ્રીટમેન્ટના ઉત્પાદન માટે મુખ્ય કાચો માલ એવા સલ્ફ્યુરિક એસિડનું આ સંકલિત સંકુલ ઉત્પાદન કરશે. તેમણે કહ્યું કે ભારત આશરે ૨૦ લાખ ટન સલ્ફ્યુરિક એસિડની આયાત કરે છે.
.પ્રથમ તબક્કામાં લગભગ ૨૫ ટન સોનું, ૨૫૦ ટન ચાંદી, ૧.૫ મિલિયન ટન સલ્ફ્યુરિક એસિડ અને ૨૫૦,૦૦૦ ટન ફોસ્ફોરિક એસિડ જેવી આડપેદાશો સાથે આ પ્લાન્ટ વાર્ષિક ૫૦૦,૦૦૦ ટન શુદ્ધ કોપરનું ઉત્પાદન કરશે. બીજા તબક્કાના વિસ્તરણથી રિફાઈન્ડ કોપરની ક્ષમતા વાર્ષિક ૧ મિલિયન ટન સુધી વધશે. એવી માહિતી આપતા ડો.વિનયે જણાવ્યું હતું કે “પ્રથમ તબક્કાના કોપર સંકૂલનું બાંધકામ આગળના તબક્કામાં છે અને પ્લાન્ટ .૨૦૨૪માં કાર્યરત થવાની અપેક્ષા છે,”
તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વેદાંતા લિ. તમિલનાડુમાં તુતીકોરિન ખાતે લાંબા સમયથી બંધ પડેલા ૪ લાખ ટનના પ્લાન્ટને ફરીથી ખોલવા ઇચ્છે છે તેવા સમયે અદાણીનો કોપર પ્લાન્ટ આવ્યો છે.દેશનો સૌથી મોટો કોપર સ્મેલ્ટર પ્લાન્ટ હાલ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા સંચાલિત છે, જેની ક્ષમતા પણ ૦.૫ મિલિયન ટન છે.
” વેસ્ટ-ટુ-વેલ્યુ વ્યૂહરચના નજીકના વિસ્તારો ટેપ કરવાની અને રોડ બાંધકામ, સિમેન્ટ અને અન્ય એપ્લિકેશન્સમાં કોપર સ્લેગ માટે બજારો બનાવવાની કંપનીની કલ્પના છે,” એમ તેમણે જણાવ્યું હતું.
તાંબાના વૈશ્વિક ભાવ પર પ્લાન્ટની અસર અંગે તેમણે જણાવ્યું હતું કે ભારતની નવી સંશોધન અને હરાજીની નીતિના પરિણામે ભવિષ્યમાં વધુ કોપર કોન્સન્ટ્રેટ એસેટ કાર્યરત થશે. ઉપરાંત, સમગ્ર વિશ્વમાં આગામી માઇનિંગ પ્રોજેક્ટ્સ મધ્યમ ગાળામાં કોપર કોન્સન્ટ્રેટના પુરવઠાને વેગ આપે તેવી શક્યતા છે, જે માંગ-પુરવઠા વચ્ચેના સંતુલન તરફ દોરી જાય છે.
. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતમાં ગ્રીનહાઉસ ગેસના ઓછા ઉત્સર્જન સાથે સૌથી વધુ કાર્યક્ષમ કોપર સ્મેલ્ટર પૈકીનું કચ્છ કોપર એક હશે. અદાણી ‘ગ્રીન કોપર’ના સમર્થક બનવાની શોધમાં એકંદર ઉર્જા મિશ્રણમાં રિન્યુએબલનો હિસ્સો વધારવા માટે પણ તે પ્રયત્નશીલ છે,”
. ઓપરેશનલ મોરચે ચાવીરૂપ કાચા માલ – કોપર કોન્સન્ટ્રેટ માટે લાંબા ગાળાના પુરવઠા કરારમાં હાલ કંપની વ્યસ્ત છે. આ વ્યૂહાત્મક સ્થાન અને સંકલિત મૂલ્યને જોડતી કડીના ફાયદા સાથે કચ્છ કોપરને વિશ્વના સૌથી ટકાઉ અને સૌથી ઓછા ખર્ચે કોપર ઉત્પાદકોમાંથી એક બનવામાં મદદ કરશે એમ તેમણે કહ્યું હતું.
જૂથની ESG પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને, પ્લાન્ટની ટકાઉ ઉકેલ-આધારિત પ્રોજેક્ટ ડિઝાઇનમાં શૂન્ય લિક્વિડ ડિસ્ચાર્જ હશે. તે ગ્રીન પાવરનો ઉપયોગ કરીને અને સિમેન્ટ અને અન્ય વ્યવસાયો માટે બાયપ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને સંશોધન કરશે.
વૈશ્વિક સ્તરે તેલ કરતાં તાંબાનું ઉત્પાદન વધુ કેન્દ્રિત છે. બે ટોચના ઉત્પાદકો – ચિલી અને પેરુ – વિશ્વના ઉત્પાદનમાં ૩૮ ટકા હિસ્સો ધરાવે છે તેવી માહિતી પણ તેમણે આપી હતી.
.તાંબાના ઉત્પાદનને પર્યાવરણના સંદર્ભમાં ઉલ્લેખ કરતા ડો.વિનય પ્રકાશે કહ્યું હતું કે ઉર્જા સંક્રમણ દરમિયાન માંગમાં વૃદ્ધિ,,અશ્મિભૂત ઇંધણથી દૂર થવા માટે ઉર્જાના રીન્યુએબલ સ્ત્રોતો તરફ આગળ વધવા જેવી બાબતોનો ભારત ઉપરાંત યુએસ, ચીન અને યુરોપમાં અવાજ ઉઠે તેવો સંભવ છે. ત્યારે અમેરીકા ૨૦૩૫ સુધીમાં તેની બે તૃતીયાંશ તાંબાની જરૂરિયાતો આયાત કરે તેવો અંદાજ છે.