પાકિસ્તાની હુમલાઓ વચ્ચે આઈપીએલ પર બીસીસીઆઈની બેઠક

પાકિસ્તાની હુમલાઓ વચ્ચે આઈપીએલ પર બીસીસીઆઈની બેઠક
બેઠક બાદ લેવામાં આવશે નિર્ણય, તમામ ખેલાડીઓને સ્પેશિયલ ટ્રેન દ્વારા ધર્મશાલાથી લઈ જવાશે
પાકિસ્તાની હુમલાઓ વચ્ચે આઈપીએલ 2025ને લઈ કાલે બીસીસીઆઈની બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આઈપીએલની મેચો પર નિર્ણય લેવામાં આવશે. ધર્મશાલાથી ખેલાડીઓને અન્યત્ર લઇ જવા બીસીસીઆઈ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી રહ્યું છે. આજ ટ્રેનમાં સપોર્ટ સ્ટાફ તથા બ્રોડકાસ્ટ ટીમને પણ અન્યત્ર ખસેડાશે. જણાવી દઈએ કે પાકિસ્તાને કેટલાક શહેરો પર હુમલો કર્યો છે. જે બાદ સુરક્ષાને ધ્યાને લઇ ધર્મશાલામાં રમાઈ રહેલ પંજાબ કિંગ્સ અને દિલ્લી કેપિટલ્સ વચ્ચેની મેચ રદ કરવામાં આવી છે અને તમામ ખેલાડીઓ, દર્શકો તથા મેદાનમાં ઉપસ્થિત તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું કે, ધર્મશાલાથી એક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી રહ્યા છે. આ ટ્રેનમાં ખેલાડીઓ સાથે તમામ લોકોને સુરક્ષિત પહોંચાડવામાં આવશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર રાજીવ શુક્લાએ જણાવ્યું છે કે, ટુર્નામેન્ટ આગળ રમાડવામાં આવશે કે નહીં એ વિષય પર કાલે બેઠક થશે. આ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇ િનર્ણય લેવામાં આવશે.