કૃષિ

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા કામરેજ તાલુકાના કરજણ-આખાખોલ ગામના ગ્રામવાસીઓ

સુરતઃ શુકવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના કામરેજ તાલુકાના કરજણ-આખાખોલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે, તમામ યોજના વિષે ગ્રામજનો ને માહિતી પૂરી પાડી હતી. તેમજ વિવિધ શાખાના અધિકારી, કમૅચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઈ.સી.ડી.એસ.વિભાગ, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.

આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના, આઈ.સી.ડી.એસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય સુમનબેન રાઠોડ, ગામના અગ્રણી રમેશભાઇ સીંગાણા, તાલુકા પંચાયતના સભ્ય હિરલભાઇ રાઠોડ, TDO એસ.જી.પટેલ, મેડિકલ ઓફિસર, વેટરનરી ઓફિસર પશુપાલન તેમજ ગામના સરપંચ ,ઉપસરપંચ, સ્ટેસટીક આસીસ્ટન્ટ, વિસ્તરણ અધિકારી, તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર, તેડાગર અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button