મજુરા ગેટ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયોઃ

મજુરા ગેટ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયોઃ
રાજય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનાં રોજગાર અને તાલીમ, નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના તાબાની સુરત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.
મજુરા ગેટ સ્થિત આઈ.ટી.આઈ. ખાતે એન્જીનીયરીંગ/નોનએન્જીનીયરીંગ વિવિધ ટ્રેડમાં (કોસ્મેટોલોજી, કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ફેશનડીઝાઇનટેકનોલોજી, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, સોલાર ટેકનીશીયન, ડ્રાફટસમેન સીવીલ, સર્વેયર, ઈલેક્ટ્રીશીયન, ઈલેક્ટ્રોનીક મીકેનીક, ઇન્સ્ટ્રુમેન્ટ મીકેનીક કેમિકલ પ્લાન્ટ વગેરે) ટ્રેડમાં ઉત્તિર્ણ થયેલા તાલીમાર્થીઓને વારી એનર્જી લિમિટેડના એચ.આર. શ્રી શિવલાલ તળાવિયા અને જ્યોતિ ઇલેક્ટ્રિકલ્સ સંદીપભાઈ પટેલ તેમજ મોનાર્ક ઓટોમોટિવ પ્રા.લિમિટેડ વિજયભાઈ સુતરિયા તેમજ જે.બી.જી.ઓ ગ્રૂપ કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ સંસ્થાના આચાર્યશ્રી અને ભૂતપૂર્વ ફોરમેન ઈન્સ્ટ્રક્ટરશ્રીઓના હસ્તે તાલીમાર્થીઓને મેડલ,પદવી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તાલીમાર્થીઓને આઈ.ટી.આઈ. પાસ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ,ઉદ્યમી સાહશિકતા, એપ્રેન્ટિસશિપ યોજના અને રોજગારી પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.