સાધલી મુકામે આવેલ મનન વિદ્યાલયમાં ફુડફેર યોજાયો

સાધલી મુકામે આવેલ મનન વિદ્યાલયમાં ફુડફેર યોજાયો
શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ મનન વિદ્યાલય બાળકોની પ્રતિભા દરેક ક્ષેત્રમાં ખીલી ઉઠે તે માટે વિવિધ કાર્યક્રમો યોજે છે. જેમાં આજરોજ તારીખ 20 ડિસેમ્બર 2024 ને શુક્રવારના દિવસે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડફેર (ખોરાક મેળા )નું આયોજન કરાયું હતું .જેનો બાળકો સહિત મોટેરાઓ એ લાભ લીધો હતો.
મનન વિદ્યાલય,સાધલી મુકામે આજરોજ યોજાયેલ ફૂડફેર (ખોરાક મેળા) નું રીબીન કાપીને ઉદ્ઘાટન શાળાના એમ.ડી. યશ પંડ્યા, શિક્ષિકાઓ તથા બાળકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આજના આ ફૂડ મેળામાં શાળાના 95 બાળકોએ વિવિધ 36 વાનગીઓ સાથે ભાગ લીધો હતો અને 20 શિક્ષિકાઓ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકો દ્વારા શુદ્ધ અને સાત્વિક તથા સંપૂર્ણ સ્વચ્છતાપૂર્વક હાથમાં ગ્લોબલ, માથામાં ટોપી સાથે પુલાવ, મંચુરિયન નુડલ્સ ,વિવિધ ભેલ, ગાર્લિક બ્રેડ, ચટણી પુરી, ફ્રેન્ચ ફ્રાય, પાંવભાજી, રતલામી કચોરી, પાપડીનો લોટ અને સેન્ડવીચ જેવી વિવિધ વાનગીઓ શુદ્ધતાપૂર્વક તૈયાર કરવામાં આવી હતી .અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે ટોકન રકમ લઈને શાળાના બાળકો તથા શિક્ષિકાઓ તથા આમંત્રિતોને આપવામાં આવી હતી. બાળકોની આ કલા સૂઝ જોઈને વાલીઓ તથા મોટેરાઓ પણ મોઢામાં આંગડા નાખી ગયા હતા અને બાળકો દ્વારા યોજાયેલ આ ફૂડ ફેર ખૂબ જ સફળતા પામ્યો હતો. બાળકોમાં શુદ્ધતા આવે વેપારી બુદ્ધિ આવે અને હોશિયાર બને તેવા આશયથી આ ફૂડ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.