ધર્મ દર્શન

ગણગૌર ઉત્સવનું થયું ભવ્ય આયોજન

ગણગૌર ઉત્સવનું થયું ભવ્ય આયોજન

વીઆઈપી રોડ સ્થિત શ્રી શ્યામ મંદિર, સુરતધામમાં શનિવારે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા ગણગૌર ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સવારે પાંચ વાગ્યાથી જ મંદિરના લખદાતાર હોલમાં મહિલાઓ દ્વારા ગણગૌરનું પૂજન કરવામાં આવ્યું હતું. બપોરે ત્રણ વાગ્યાથી ગણગૌર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ આપવામાં આવી હતી. સાંજે પાંચ વાગ્યે મંદિરના પ્રાંગણમાં ગણગૌરનું ઇકો-ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવ્યું હતું. શ્યામ મંદિર પર અનેક મહિલાઓ અને યુવતીઓ દ્વારા પોતપોતાની ગણગૌરનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારો મહિલાઓ મંદિરના પ્રાંગણમાં ઉપસ્થિત રહી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button