કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સિધ્ધપુર તાલુકાના મામવાડા ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રામાં ઉપસ્થિત રહ્યા

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સિધ્ધપુર તાલુકાના મામવાડા ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રામાં ઉપસ્થિત રહ્યા
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામે કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત
હાજરી આપી અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનો વિતરણ કર્યું. આ યાત્રાને લઈને ગ્રામજનોનો ઉત્સાહ જોઈને અત્યંત આનંદની લાગણી થઈ.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ – ગીરીબેન ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, શંભુભાઈ દેસાઇ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જસુભાઈ પટેલ, મનીષભાઈ પ્રજાપતિ, ઈશ્વરજી ઠાકોર, રાગિણીબેન પટેલ, સુરેશભાઈ ઠાકોર, દિલીપજી ઠાકોર, અભુજી ઠાકોર, કાનજીભાઈ ઠાકોર, સરપંચ – બળદેવભાઈ રાજપૂત, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મકવાણા – નાયબ જિલ્લા અધિકારી અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ જોડાયા હતા.