સુરતબેઠકમાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભા બેઠકો પૈકી ૭ બેઠકોના મતદારો મતદાન નહીં કરી શકે

૨૪ સુરત લોકસભા બેઠકમાં કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ નાટ્યાત્મક રીતે એક પછી એક 8 જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા. જો કે આ સાથે જ સુરત શહેરનાં બારડોલી કે પછી નવસારી લોકસભાનાં મતવિસ્તારમાં રહેતા લાખો મતદારોમાં મતદાન બાબતે સુરતબેઠકમાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભા બેઠકો પૈકી ૭ બેઠકોના મતદારો મતદાન નહીં કરી શકે
મુઝવણમાં મુકાયા છે. જો કે આ અંગે આજે જિલ્લા કલેકટરએ જણાવ્યું હતુ કે માત્ર સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ હોવાથી તેમા સમાવિષ્ટ સાત વિધાનસભાનાં નાગરીકો મતદાન કરી શકશે નહી. પણ બારડોલી અને નવસારી લોકસભાની કુલ 9 વિધાનસભાનાં 29 લાખ કરતા વધારે મતદારો મહત્તમ મતદાન કરે તે માટેની ખાસ તૈયારીઓ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરત શહેર અને જિલ્લામાં કુલ 16 વિધાનસભા બેઠકોનાં મતવિસ્તારનો સમાવેશ થઈ રહ્યો છે. જેમાં બારડોલી લોકસભા બેઠકમાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા વિધાનસભાનાં વિસ્તાર આવેલા છે. જયારે નવસારી લોકસભામાં લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેથી નવસારી અને બારડોલી લોકસભાનાં મતવિસ્તારમાં આવતી
અન્યવિધાનસભા બેઠકોનવસારી અને બારડોલી લોકસભા બેઠકવિસ્તારમાં આવતી હોવાથી નવ વિધાનસભા બેઠકના મતદારો મતદાન કરી શકશે