પ્રાદેશિક સમાચાર

ઉમરપાડા તાલુકાના વાડી ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ૬૪૯ અરજીઓનો હકારાત્મક નિકાલ

સુરત:શનિવાર: ગ્રામજનોને સરકારી યોજનાઓના વ્યક્તિલક્ષી લાભો ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની વાડી ગામની પ્રાથમિક શાળા ખાતે આસપાસના ૧૪ ગામના લોકોને પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઘરઆંગણે આપવામાં આવ્યો હતો.

સેવાસેતુમાં વિભાગવાર આવક/જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી, આઘારકાર્ડ નવા અને અપડેશન, આયુષ્માન કાર્ડની અરજી, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, બસ કન્સેશન પાસ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઇ અરજીઓ તથા વિનામૂલ્યે ૭/૧૨,૮-અ ની નકલ, જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી અને મિલ્કત આકારણીના ઉતારા, પી.એમ.સન્માન નિધી લાભાર્થીનું E-KYC, ઘરેલુ નવા વીજજોડાણ, બેંકિંગને લગતી સેવાઓ સહિતની ૬૪૯ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. અહીં જરૂરીયાતમંદોનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. અન્ય લાભાર્થીઓ સુધી આ યોજનાઓ પહોંચે તે માટે વિવિધ કચેરીઓના સ્ટાફ દ્વારા યોજનાકીય જાણકારી અપાઈ હતી.
આ કાર્યક્રમમાં તા.વિકાસ અધિકારી અને મામલતદાર સહિત સરપંચ, ગ્રા.પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button