પ્રધાનમંત્રી મોદીએ દ્વારકાના દરિયામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી

પ્રધાનમંત્રી મોદીએ દ્વારકાના દરિયામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી
દ્વારકા નગરીને મોરપીંછ અર્પણ કરીને PM એ બે હાથ જોડી નમન કર્યું
પ્રધાનમંત્રી મોદીએ દ્વારકાના દરિયામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. તેઓ દરિયામાં ડુબેલી અદભૂત કૃષ્ણ નગરીના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, પાણીમાં ડૂબેલી પ્રાચીન દ્વારકાનગરીના દર્શન કરવાનો લ્હાવો મળ્યો. ઈતિહાસ અને આધાત્મિકતા સાથેનો અનુભવ થયો. ત્યારે તેમની આ અવિસ્મરણીય આધ્યાત્મિક સફરની નવી તસવીરો સામે આવી છે.
PM મોદીએ સમુદ્રની અંદર જઈ પ્રાચીન દ્વારકાના દર્શન કર્યા હતા. દરિયામાં ડૂબેલી પ્રાચીન દ્વારકાના PM મોદીએ સાક્ષાત દર્શન કર્યાં. આ અનુભવ વિશે તેમણે કહ્યુંક ે, ભવ્યતા અને કાળ નિરપેક્ષ ભક્તિનો મે અનુભવ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ પાણીમાં ડૂબેલી પ્રાચીન દ્વારકાના સ્થળે પ્રાર્થના કરી. આ અનુભવને પ્રધાનમંત્રીએ આધ્યાત્મિક અને ઐતિહાસિક મૂળ સાથે જોડનારું ગણાવ્યું.