વડાપ્રધાન મોદીનો ગુજરાતના ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ જાહેરઃ ૧લી મૈથી બે દિવસે ૬ સભા કરશે

વડાપ્રધાન મોદીનો ગુજરાતના ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ જાહેરઃ ૧લી મૈથી બે દિવસે ૬ સભા કરશે
અત્યારે સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. જેને પગલે અત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં ચૂંટણી પ્રવાસનો કાર્યક્રમ સામે આવી ચૂક્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મેથી ગુજરાત ઘમરોળશે.
ગુજરાતના સ્થાપના દિન એટલે કે બે દિવસમાં પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી 6 જંગી જનસભાને સંબોધશે. બે દિવસ ભાજપ ઉમેદવારો માટે ઝંઝાવાતી પ્રચાર કર્યા બાદ નરેન્દ્ર મોદી સીધા 7મી મેના રોજ મતદાન કરવા માટે ગુજરાત આવશે.
નરેન્દ્ર મોદીના પ્રચાર કાર્યક્રમની વિગતો જોઈએ તો, તેઓ પહેલી મેના રોજ બપોરે સાડા 3 કલાકે ડીસામાં જનસભાને સંબોધશે. જ્યારે આજ દિવસે સાંજે સાડા પાંચ કલાકે
આણંદ,સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અમદાવાદ, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર સહિત અન્ય સભાઓ સંબોધશે