ક્રાઇમ
મકરસંક્રાંતિનાં પર્વ નિમિત્તે પોલીસ કમિશનરનું જાહેરનામું:

સુરત:મંગળવાર: આવનારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે શહેરમાં જાહેર સલામતી હિતાર્થે શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામું બહાર પાડી કેટલાક પ્રતિબંધો મૂકયા છે. જે અનુસાર સુરત શહેરમાં તમામ ફ્લાઇ ઓવરબ્રીજ ઉપર બંન્ને સાઇડેથી ટુ વ્હીલર વાહનોને તા.૧૪/૧/૨૦૨૪થી તા.૧૫/૦૧/૨૦૨૪ સુધી અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં પ્રતિબંધિત સમય દરમ્યાન ટુ વ્હીલર વાહન ચાલકો નદી ઉપરના બ્રિજ સિવાયના તમામ ફ્લાય ઓવર બ્રિજની નીચેના રસ્તેથી અવર જવર કરી શકશે. આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવેલા વાહન ચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.