ગુજરાત

સાવન કૃપાલ રુહાની મિશન ની વડોદરા શાખા દ્વારા નિશુલ્ક આધ્યાત્મિક કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું.

સાવન કૃપાલ રુહાની મિશન ની વડોદરા શાખા દ્વારા નિશુલ્ક આધ્યાત્મિક કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું.

સાવન કૃપાલ રુહાની મિશન ની વડોદરા શાખા માં ઝોનલ ઇન્ચાર્જ શ્રી લલિત ભાઈ કાનોજીયા દ્વારા આધ્યાત્મિક સત્સંગ કરવામાં આવ્યું. સત્સંગ બાદ ધ્યાન અભ્યાસ ના સેશન પણ રાખવામાં આવ્યા હતા. આધ્યાત્મિક સત્સંગ માં લોકો મોટી સંખ્યા માં આવ્યા હતા અને ધ્યાન અભ્યાસ નું લાભ લીધું.

આ આધ્યાત્મિક કાર્ય શાળામાં સમજાવવામાં આવ્યું કે આજકાલ આ આધુનિક યુગમાં લોકો ધ્યાન અભ્યાસ પ્રત્યે રુચિ વધે છે. જીવનના વિવિધ કાર્ય ક્ષેત્રમાં કામ કરવા વાળા ભાઈઓ અને બહેનો ભલે તે વિદ્યાર્થીઓ હોય કે કર્મચારીઓ, અધિકારીઓ હોય કે પટાવાળા, સામાન્ય લોકો હોય કે કોઈ વિશેષ હોદ્દા વાળા હોય બધા ધ્યાન અભ્યાસનું મહત્વ અનુભવ્યું છે. કે ધ્યાન દ્વારા આપણને માત્ર શારીરિક તથા માનસિક રીતે લાભ થતો નથી પરંતુ આપણે આધ્યાત્મિક રીતે પણ વધુ મજબૂત બની જઈએ છીએ. જો આપણે આપણા જીવનમાં દરરોજ ધ્યાન અભ્યાસ માટે સમય આપીએ તો તે આપણી આત્માને શક્તિ આપે છે. જીવનની દરેક પરિસ્થિતિમાં આપણે સકારાત્મક રહીએ છીએ.
આ સિવાય આપણે આપણા જીવનમાં આવતા દરેક ઉતાર ચડાવ, સુખ-દુ ખ, લાભ-હાનિ વગેરે કોઈ અસર થતી નથી કારણ કે આપણે આપણી અંદર એ અનુભવ કર્યો છે કે આ સુખ દુઃખ ફક્ત આપણા શરીર સાથે જોડાયેલા હોય છે અને પાછલા કર્મોના કારણે આવે છે. આપણો પોતાના જીવનને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. જેના પરિણામ સ્વરૂપ આપણે સુખી જીવનની સાથે સાથે એક સશક્ત જીવન પસાર કરીએ છીએ અને આ દુનિયાની કોઈપણ હલચલ થી ડરતા નથી અને દરેક ક્ષણે શાંત અને સ્થિર રહીએ છીએ.
ધ્યાન અભ્યાસની આ વિધિ આપણે ફક્ત સમય પૂર્ણ ગુરુના ચરણ કમળો માં જઈને શીખી શકીએ છીએ. તેમનાથી દીક્ષા લઈને ધ્યાન અભ્યાસની વિધિ દ્વારા આપણે પોતાના અંતરમાં પ્રભુની જ્યોતિ અને શ્રુતિ નો અનુભવ કરીએ આપણે આધ્યાત્મિક રૂપથી પ્રગતિ કરી શકીએ અને આપણે જોઈશું કે આના દ્વારા આપણે આપણા મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ પોતાની જાતને ઓળખવી અને પિતા પરમેશ્વર ને મેળવવા તે આ જીવનમાં પૂર્ણ કરી શકીશું.
સંત રાજીન્દર સિંહજી મહારાજ આજે વિશ્વભરમાં અનેક યાત્રા કરીને લાખો લોકોને ધ્યાન અભ્યાસની વિધિ શીખવી રહ્યા છે. જેનાથી આપણે પોતાના મનુષ્ય જીવનનો ધ્યેય પોતાની જાતને ઓળખવી અને પરમાત્મામાં લીન થવાનું છે તેને આ જ જન્મમાં પૂરું કરી શકીએ છીએ.
સાવન કૃપાલ રૂહાની મિશનના અધ્યક્ષ સંત રાજીન્દર સિંહજી મહારાજ આજે સંપૂર્ણ વિશ્વમાં ધ્યાન અભ્યાસ દ્વારા પ્રેમ, એકતા અને શાંતિનો સંદેશ પ્રસારિત કરી રહ્યા છે. જેના ફળ સ્વરૂપે તેમને વિભિન્ન દેશો દ્વારા અનેક શાંતિ પુરસ્કારો તથા સન્માન ની સાથે સાથે પાંચ ડોક્ટરેટની ઉપાધિયો થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
સાવન કૃપાલ રૂહાની મિશન ના સંપૂર્ણ વિશ્વમાં 3200 થી વધુ કેન્દ્ર સ્થાપિત છે તથા મિશનનું સાહિત્ય વિશ્વની 55 થી વધુ ભાષાઓ માં પ્રકાશિત થઈ ચૂક્યું છે. આનું મુખ્યાલય વિજયનગર દિલ્હીમાં છે તથા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપરવીલે, અમેરિકામાં આવેલું છે.
સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો 9825467110, skrmzn12@gmail.com

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button