અન્ય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા આજરોજ સીનીયર સિટીજન હોલ, ધરણીધર દેરાસર પાસે, વાસણા, કર્ણાવતી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલ – અમદાવાદના બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT ની ટીમ ઉપસ્થિત રહી. વિસ્તારના નાગરિકોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લીધો.
આ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પાલડી ભાગના મા. સંઘચાલક ડો. પુરોહિત સાહેબના હસ્તે દીપ પ્રજવલન સાથે થયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કર્ણાવતી મહાનગર સેવા પ્રમુખ શ્રી હિતેશભાઈ ઠાકર સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમમાં 40 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button