રાજનીતિ

ફાઇવ સ્ટાર હોટલમાં ભાજપની ડીનર વીથ મીટિંગ

સી.આર. પાટીલે કહ્યું, સુરત બેઠક બિનહરીફ થઈ છે, નવસારીની ચૂંટણી બાકી છે, મતદાન ઓછું ન થાય એટલે તમને બોલાવ્યા છે

સુરત બેઠક બિનહરીફ જાહેર થયા પછી મતદાન કરવું કે નહીં તે અંગે ગેરસમજ ઉભી થઈ હતી. કારણ એ છે કે સુરતના મજૂરા, ચોર્યાસી, લિંબાયત, ઉધના વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારો નવસારી લોકસભા મત ક્ષેત્રમાં આવે છે. આ ગેરસમજ દૂર કરવા ભાજપે ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાની પૂર્વ સંધ્યાએ શહેરની એક ફાઇવ સ્ટાર હોટલમાં બે હજારથી વધુ સોસાયટીઓના પ્રમુખ સાથે ડીનર સાથે મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી.આર. પાટીલે કહ્યું કે, તમને બધાને આમંત્રિત કરવાનો આશય એટલો છે કે, નવસારીમાં મતદાન ઓછું ન થાય. સુરત બેઠક બિનહરીફ થઈ છે પણ નવસારીની ચૂંટણી હજુ બાકી છે. મતદાન અંગેની ગેરસમજ દૂર કરવા દરેક સોસાયટીઓમાં કોર્પોરેટરો અને કાર્યકરોને ફરી વખત મોકલ્યા છે. તમારે બધાએ તમારી સોસાયટીના તમામ સભ્યો, મિત્રો મતદાન કરે તેની જવાબદારી પણ ભેગા મળીને લેવી જાેઈએ. આ મીટિંગમાં તેમણે વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં થયેલા વિકાસકાર્યો વિશે પણ જણાવ્યું હતું અને સુરત શહેરની વિકાસ ગાથા પણ વર્ણવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button