ચેમ્બર પ્રમુખ સહિતના પ્રતિનિધિ મંડળે મિશન ૮૪ અંતર્ગત અમેરિકામાં વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસના ટ્રેડ કાઉન્સીલર અને ફર્સ્ટ સેક્રેટરી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી સુરત, ગુજરાતથી એક્ષ્પોર્ટ વધારવા ચર્ચા વિચારણા કરી*

*ચેમ્બર પ્રમુખ સહિતના પ્રતિનિધિ મંડળે મિશન ૮૪ અંતર્ગત અમેરિકામાં વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસના ટ્રેડ કાઉન્સીલર અને ફર્સ્ટ સેક્રેટરી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી સુરત, ગુજરાતથી એક્ષ્પોર્ટ વધારવા ચર્ચા વિચારણા કરી*
*વોશિંગ્ટનમાં સુરતના ઉદ્યોગકારોને ફાર્માસ્યુટિકલ અને સોલાર સહિત વિવિધ ક્ષેત્રે એક્ષ્પોર્ટ માટે ઘણી તકો હોવાની બાબતથી વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસના ટ્રેડ કાઉન્સીલર અને ફર્સ્ટ સેક્રેટરી જિગર રાવલે ચેમ્બર પ્રમુખને માહિતગાર કર્યા*
*ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન મુલાકાત કરી મિશન ૮૪ પ્રોજેકટની માહિતી આપી, અધિકારીઓએ સુરતથી એક્ષ્પોર્ટને વધારવા હેતુ દરેક કક્ષાએ મિશન ૮૪ને સહયોગ આપવાની ખાત્રી આપી*
*સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના ઉદ્યોગકારોને અમેરિકાના બિઝનેસમેનો સાથે ધંધાકીય રીતે જોડવા અને ભારતથી એક્ષ્પોર્ટ વધારવા વિસ્તૃત ચર્ચા વિચારણા થઇ*
*સુરતઃ* ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેઓ અનેક સરકારી અને ખાનગી સંસ્થાઓની સાથે મુલાકાત કરી સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના ઉદ્યોગકારો અને વેપારીઓને અમેરિકાના બિઝનેસમેનો સાથે ધંધાકીય રીતે જોડવાનો પ્રયાસ કરી રહયા છે. જેના ભાગ રૂપે શનિવાર, તા. ૧૩ એપ્રિલ ર૦ર૪ના રોજ તેઓએ વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસની મુલાકાત લીધી હતી.
ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસના ટ્રેડ કાઉન્સીલર અને ફર્સ્ટ સેક્રેટરી શ્રી જિગર રાવલ (IRS)ને મળ્યા હતા અને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની રજૂઆત કરી તેમની સાથે વિગતવાર ચર્ચા કરી હતી. જિગર રાવલ પણ મિશન ૮૪ પ્રોજેકટથી ઘણા પ્રભાવિત થયા હતા અને તેમણે સામેથી આ પ્રોજેકટના નાનામાં નાના પાસા અંગે રસ લઇને પ્રશ્નોત્તરી કરી હતી, જેના વિગતવાર જવાબ ચેમ્બર પ્રમુખે તેમને આપ્યા હતા.
વોશિંગ્ટન સહિત અમેરિકામાં સુરત, ગુજરાત અને ભારતથી વિવિધ પ્રોડકટના એક્ષ્પોર્ટ માટે કેટલી તકો છે અને ભારતથી એક્ષ્પોર્ટ કેવી રીતે વધારી શકાય, તે બાબતે તેઓની સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા થઇ હતી. અમેરિકામાં જુદા–જુદા સેકટર વાઇઝ શું શું પોટેન્શીયલ છે અને તેનો લાભ સુરત, ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ કેવી રીતે લઇ શકે છે તેના વિશે પણ જિગર રાવલે ચેમ્બર પ્રમુખને વિસ્તૃત જાણકારી આપી હતી. ખાસ કરીને ફાર્માસ્યુટિકલ અને સોલાર સહિતની જુદી–જુદી ઇન્ડસ્ટ્રી અંગે વોશિંગ્ટનમાં રહેલી તકો વિશે તેમણે ચેમ્બર પ્રમુખનું વિશેષ ધ્યાન દોર્યુ હતું અને સુરતના ઉદ્યોગકારોને તૈયાર કરીને એક્ષ્પોર્ટ કેવી રીતે વધે તે માટેના સૂચનો કર્યા હતા.
અમેરિકાના ખૂબ જ વિશાળ માર્કેટમાં સુરતના ઉદ્યોગકારો કેવી રીતે લાભ લઇ શકે તે અંગે વિગતવાર ચર્ચા કરી હતી. વોશિંગ્ટન સહિત અમેરિકાની હોટેલોમાં પ્રોડકટ અને સર્વિસિસની ઘણી આવશ્યકતા છે, જે ભારત ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી શકે તેમ છે. ભારત સરકાર પણ આ બાબતે સક્રીય છે તથા ગુજરાત સરકાર પણ આ અંગે મદદ કરી રહી છે ત્યારે ઉદ્યોગકારોને પણ મિશન ૮૪ પ્લેટફોર્મની સાથે જોડીને સુરત, ગુજરાત અને ભારતથી એક્ષ્પોર્ટ વધે તે માટે તેઓની વચ્ચે ખૂબ જ ફળશ્રુતિ ચર્ચાઓ થઇ હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળને વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી ખુબ જ સારો આવકાર મળ્યો હતો. તેઓએ ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ જેવા કે શ્રી અભિમન્યુ ગેહલોત (First Secretary – Political & SA to Ambassador), ડો. પી. કરૂણાકરન (Counsellor – Personnel & Education), શ્રી કૃણાલ જોશી (Counsellor, Space – ISRO), ડો. વિજયભાસ્કર નારાયણ મુર્થિ (Counsellor – Defence Technology) અને શ્રી રાજીવ કુમાર મિશ્રા (Counsellor – Political) સાથે પણ મુલાકાત કરી હતી અને તેઓને પણ મિશન ૮૪ પ્રોજેકટથી વાકેફ કર્યા હતા.
શ્રી કૃણાલ જોશી ઇસરોના સાયન્ટીસ્ટ છે અને ભારતીય દૂતાવાસમાં ડેઝીગ્નેટેડ છે. સ્પેસ સાયન્સ માટે અમેરિકામાં રહીને ભારત માટે તેઓ ખૂબ જ સારુ કામ કરી રહયા છે. તેમણે અમદાવાદ ઇસરો ખાતે એપ્રિલ ર૦ર૪માં જે કાર્યક્રમ થવા જઇ રહયો છે તેના વિશે ચેમ્બર પ્રમુખ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. સોલાર ક્ષેત્રે કામ કરતા અને ઇસરોની પ્રોડકટ માટે ઉત્પાદન કરતા બિઝનેસમેનોને આ કાર્યક્રમમાં બોલાવી તેઓની મુલાકાત લઇને લાભ લેવા જણાવ્યું હતું અને ભારતના ઉદ્યોગકારોને કેવી રીતે લાભ થાય તે માટે તેઓએ માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન મુલાકાત કરી તેઓને મિશન ૮૪ પ્રોજેકટની માહિતી આપી ભારતના ઉદ્યોગકારોને અમેરિકાના બિઝનેસમેનો સાથે કેવી રીતે જોડી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને મિશન ૮૪ પ્લેટફોર્મના માધ્યમથી એક્ષ્પોર્ટ કેવી રીતે વધારી શકાય તે અંગે ચર્ચા વિચારણા થઇ હતી. આગામી સમયમાં સુરત, ગુજરાતના ઉદ્યોગકારો સાથે મળીને તેઓને લાંબા ગાળા માટે કાયમી સ્વરૂપે કેવી રીતે ધંધાકીય લાભ મળે અને આંતરરાષ્ટ્રીય વેપાર વધે તે માટે ખૂબ જ સારી ચર્ચા વિચારણા થઇ હતી. આ તમામ અધિકારીઓએ મિશન ૮૪ને દરેક કક્ષાએ સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી હતી. ભારતીય દૂતાવાસમાં શ્રી જિગર રાવલ અને શ્રી કૃણાલ જોશી ગુજરાતી અધિકારીઓ છે, તેઓ ગુજરાતનું ગૌરવ છે તેઓ ભારતના વિકાસ માટે પ્રયાસ કરી રહયા છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ તેઓને મિશન ૮૪ની પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને એના માટે ભારતના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટ કરવા માટેનો ટારગેટ આપ્યો છે. વડાપ્રધાનના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમજ ભારતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ વિઝન હાથ ધર્યું છે અને તેના અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.
મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો – વેપારીઓ અને એક્ષ્પોર્ટર્સને તથા વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે. અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મની સાથે ૧ર હજારથી વધુ બિઝનેસમેનો જોડાઇ ગયા છે. મિશન ૮૪ અંતર્ગત સુરત ઉપરાંત ગુજરાત અને ભારતથી વિશ્વના વિવિધ દેશોમાં રૂપિયા ૮૪,૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે. એવી જ રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે.
મિશન ૮૪ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ, હાઇ કમિશ્નર અને એમ્બેસેડર તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો થઇ રહી છે. જેના ભાગ રૂપે અત્યાર સુધીમાં ૪પથી વધુ દેશોના કોન્સુલ જનરલ, એમ્બેસેડર તથા ઓફિશિયલ્સ સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે આવ્યા હતા અને સુરતના ઉદ્યોગકારોને સાથે વન ટુ વન બિઝનેસ મિટીંગો કરી ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ માટેની તકો વિશે જાણકારી આપી હતી.
*ચેમ્બર પ્રમુખ સહિતના પ્રતિનિધિ મંડળે મિશન ૮૪ અંતર્ગત અમેરિકામાં વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસના ટ્રેડ કાઉન્સીલર અને ફર્સ્ટ સેક્રેટરી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી સુરત, ગુજરાતથી એક્ષ્પોર્ટ વધારવા ચર્ચા વિચારણા કરી*
*વોશિંગ્ટનમાં સુરતના ઉદ્યોગકારોને ફાર્માસ્યુટિકલ અને સોલાર સહિત વિવિધ ક્ષેત્રે એક્ષ્પોર્ટ માટે ઘણી તકો હોવાની બાબતથી વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસના ટ્રેડ કાઉન્સીલર અને ફર્સ્ટ સેક્રેટરી જિગર રાવલે ચેમ્બર પ્રમુખને માહિતગાર કર્યા*
*ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન મુલાકાત કરી મિશન ૮૪ પ્રોજેકટની માહિતી આપી, અધિકારીઓએ સુરતથી એક્ષ્પોર્ટને વધારવા હેતુ દરેક કક્ષાએ મિશન ૮૪ને સહયોગ આપવાની ખાત્રી આપી*
*સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના ઉદ્યોગકારોને અમેરિકાના બિઝનેસમેનો સાથે ધંધાકીય રીતે જોડવા અને ભારતથી એક્ષ્પોર્ટ વધારવા વિસ્તૃત ચર્ચા વિચારણા થઇ*
*સુરતઃ* ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેઓ અનેક સરકારી અને ખાનગી સંસ્થાઓની સાથે મુલાકાત કરી સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના ઉદ્યોગકારો અને વેપારીઓને અમેરિકાના બિઝનેસમેનો સાથે ધંધાકીય રીતે જોડવાનો પ્રયાસ કરી રહયા છે. જેના ભાગ રૂપે શનિવાર, તા. ૧૩ એપ્રિલ ર૦ર૪ના રોજ તેઓએ વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસની મુલાકાત લીધી હતી.
ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસના ટ્રેડ કાઉન્સીલર અને ફર્સ્ટ સેક્રેટરી શ્રી જિગર રાવલ (IRS)ને મળ્યા હતા અને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની રજૂઆત કરી તેમની સાથે વિગતવાર ચર્ચા કરી હતી. જિગર રાવલ પણ મિશન ૮૪ પ્રોજેકટથી ઘણા પ્રભાવિત થયા હતા અને તેમણે સામેથી આ પ્રોજેકટના નાનામાં નાના પાસા અંગે રસ લઇને પ્રશ્નોત્તરી કરી હતી, જેના વિગતવાર જવાબ ચેમ્બર પ્રમુખે તેમને આપ્યા હતા.
વોશિંગ્ટન સહિત અમેરિકામાં સુરત, ગુજરાત અને ભારતથી વિવિધ પ્રોડકટના એક્ષ્પોર્ટ માટે કેટલી તકો છે અને ભારતથી એક્ષ્પોર્ટ કેવી રીતે વધારી શકાય, તે બાબતે તેઓની સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા થઇ હતી. અમેરિકામાં જુદા–જુદા સેકટર વાઇઝ શું શું પોટેન્શીયલ છે અને તેનો લાભ સુરત, ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ કેવી રીતે લઇ શકે છે તેના વિશે પણ જિગર રાવલે ચેમ્બર પ્રમુખને વિસ્તૃત જાણકારી આપી હતી. ખાસ કરીને ફાર્માસ્યુટિકલ અને સોલાર સહિતની જુદી–જુદી ઇન્ડસ્ટ્રી અંગે વોશિંગ્ટનમાં રહેલી તકો વિશે તેમણે ચેમ્બર પ્રમુખનું વિશેષ ધ્યાન દોર્યુ હતું અને સુરતના ઉદ્યોગકારોને તૈયાર કરીને એક્ષ્પોર્ટ કેવી રીતે વધે તે માટેના સૂચનો કર્યા હતા.
અમેરિકાના ખૂબ જ વિશાળ માર્કેટમાં સુરતના ઉદ્યોગકારો કેવી રીતે લાભ લઇ શકે તે અંગે વિગતવાર ચર્ચા કરી હતી. વોશિંગ્ટન સહિત અમેરિકાની હોટેલોમાં પ્રોડકટ અને સર્વિસિસની ઘણી આવશ્યકતા છે, જે ભારત ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી શકે તેમ છે. ભારત સરકાર પણ આ બાબતે સક્રીય છે તથા ગુજરાત સરકાર પણ આ અંગે મદદ કરી રહી છે ત્યારે ઉદ્યોગકારોને પણ મિશન ૮૪ પ્લેટફોર્મની સાથે જોડીને સુરત, ગુજરાત અને ભારતથી એક્ષ્પોર્ટ વધે તે માટે તેઓની વચ્ચે ખૂબ જ ફળશ્રુતિ ચર્ચાઓ થઇ હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળને વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી ખુબ જ સારો આવકાર મળ્યો હતો. તેઓએ ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ જેવા કે શ્રી અભિમન્યુ ગેહલોત (First Secretary – Political & SA to Ambassador), ડો. પી. કરૂણાકરન (Counsellor – Personnel & Education), શ્રી કૃણાલ જોશી (Counsellor, Space – ISRO), ડો. વિજયભાસ્કર નારાયણ મુર્થિ (Counsellor – Defence Technology) અને શ્રી રાજીવ કુમાર મિશ્રા (Counsellor – Political) સાથે પણ મુલાકાત કરી હતી અને તેઓને પણ મિશન ૮૪ પ્રોજેકટથી વાકેફ કર્યા હતા.
શ્રી કૃણાલ જોશી ઇસરોના સાયન્ટીસ્ટ છે અને ભારતીય દૂતાવાસમાં ડેઝીગ્નેટેડ છે. સ્પેસ સાયન્સ માટે અમેરિકામાં રહીને ભારત માટે તેઓ ખૂબ જ સારુ કામ કરી રહયા છે. તેમણે અમદાવાદ ઇસરો ખાતે એપ્રિલ ર૦ર૪માં જે કાર્યક્રમ થવા જઇ રહયો છે તેના વિશે ચેમ્બર પ્રમુખ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. સોલાર ક્ષેત્રે કામ કરતા અને ઇસરોની પ્રોડકટ માટે ઉત્પાદન કરતા બિઝનેસમેનોને આ કાર્યક્રમમાં બોલાવી તેઓની મુલાકાત લઇને લાભ લેવા જણાવ્યું હતું અને ભારતના ઉદ્યોગકારોને કેવી રીતે લાભ થાય તે માટે તેઓએ માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન મુલાકાત કરી તેઓને મિશન ૮૪ પ્રોજેકટની માહિતી આપી ભારતના ઉદ્યોગકારોને અમેરિકાના બિઝનેસમેનો સાથે કેવી રીતે જોડી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને મિશન ૮૪ પ્લેટફોર્મના માધ્યમથી એક્ષ્પોર્ટ કેવી રીતે વધારી શકાય તે અંગે ચર્ચા વિચારણા થઇ હતી. આગામી સમયમાં સુરત, ગુજરાતના ઉદ્યોગકારો સાથે મળીને તેઓને લાંબા ગાળા માટે કાયમી સ્વરૂપે કેવી રીતે ધંધાકીય લાભ મળે અને આંતરરાષ્ટ્રીય વેપાર વધે તે માટે ખૂબ જ સારી ચર્ચા વિચારણા થઇ હતી. આ તમામ અધિકારીઓએ મિશન ૮૪ને દરેક કક્ષાએ સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી હતી. ભારતીય દૂતાવાસમાં શ્રી જિગર રાવલ અને શ્રી કૃણાલ જોશી ગુજરાતી અધિકારીઓ છે, તેઓ ગુજરાતનું ગૌરવ છે તેઓ ભારતના વિકાસ માટે પ્રયાસ કરી રહયા છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ તેઓને મિશન ૮૪ની પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને એના માટે ભારતના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટ કરવા માટેનો ટારગેટ આપ્યો છે. વડાપ્રધાનના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમજ ભારતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ વિઝન હાથ ધર્યું છે અને તેના અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.
મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો – વેપારીઓ અને એક્ષ્પોર્ટર્સને તથા વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે. અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મની સાથે ૧ર હજારથી વધુ બિઝનેસમેનો જોડાઇ ગયા છે. મિશન ૮૪ અંતર્ગત સુરત ઉપરાંત ગુજરાત અને ભારતથી વિશ્વના વિવિધ દેશોમાં રૂપિયા ૮૪,૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે. એવી જ રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે.
મિશન ૮૪ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ, હાઇ કમિશ્નર અને એમ્બેસેડર તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો થઇ રહી છે. જેના ભાગ રૂપે અત્યાર સુધીમાં ૪પથી વધુ દેશોના કોન્સુલ જનરલ, એમ્બેસેડર તથા ઓફિશિયલ્સ સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે આવ્યા હતા અને સુરતના ઉદ્યોગકારોને સાથે વન ટુ વન બિઝનેસ મિટીંગો કરી ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ માટેની તકો વિશે જાણકારી આપી હતી.