ઈઝરાયલ અને ઇરાન વચ્ચે થયેલા યુદ્ધના કારણે ભારતમાં આના પર થશે ભાવ વધારો !

ઈઝરાયલ અને ઇરાન વચ્ચે થયેલા યુદ્ધના કારણે ભારતમાં આના પર થશે ભાવ વધારો !
ભારત સૂકામેવા માટે અફઘાનિસ્તાન અને ઈરાન પર નિર્ભર છે
જ્યારે કોઈ બે દેશો વચ્ચેક યુદ્ધ શરૂ થાય છે, ત્યારે તેની અસર બંને દેશો સાથે જોડાયેલા વેપાર પર પણ પડે છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેથ શરૂ થયેલા યુદ્ધ બાદ પણ આવી જ પરિસ્થિરતિ સર્જાઈ છે. કારણ કે ભારતમાં ઈરાનથી ક્રૂડ ઓઈલ તથા સૂકામેવાની આયાત થાય છે. પરંતુ યુદ્ધના કારણે આયાત અટકવાની શકયતાઓ વધી રહી છે, તેથી આગામી દિવસોમાં ડ્રાયફ્રૂટ્સથ મોંઘા થઈ શકે છે.
ભારત સૂકામેવા માટે અફઘાનિસ્તાીન અને ઈરાન પર નિર્ભર છે. અફઘાનિસ્તાથનથી ભારતમાં કિશમિસ, અખરોટ, બદામ, અંજીર, જરદાળુની આયાત થાય છે. જ્યાારે ઈરાનથી ખજૂર, મમરા બદામ અને પિસ્તા,ની આયાત થાય છે. જોકે યુદ્ધના કારણે બંને દેશથી થતી ડ્રાયફ્રૂટની આયાત અટકી ગઈ છે. કારણ કે પહેલા અફઘાનિસ્તાયન પાકિસ્તા ન મારફતે સૂકામેવા મોકલાવતું હતું, પરંતુ પાકિસ્તારન સાથે વધેલા ભારતના તણાવને કારણે અફઘાનિસ્તાાને તેને ઈરાનના ચાબહાર બંદરથી મોકલવાનું શરૂ કર્યું હતું. પરંતુ હવે જ્યારે ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે સૂકામેવાની આયાત અટકાવી દેવામાં આવી છે.
ઈરાન અફઘાનિસ્તાનનો પડોશી દેશ છે. જેથી અફઘાનિસ્તાન પોતાના સૂકામેવા ઈરાન મોકલે છે. ઈરાનથી તેને દુબઈ મોકલવામાં આવે છે. દુબઈમાં મોટા વેરહાઉસ બનાવવામાં આવેલા છે. જેથી અહીંથી ભારતમાં સૂકામેવા મોકલવામાં આવે છે. ઈરાનથી સૂકામેવાની આયાત ઘટી છે. જો જલ્દી આનો ઉકેલ ન આવ્યો તો આગામી મહિનાઓમાં સૂકામેવાનો ભાવ વધી શકે છે.