ગુજરાત

ઉત્રાણ ખાતે ત્યાગમૂર્તિ માતા રમાઈ જન્મ જયંતી નિમિત્તે મહિલા જાગૃતિ સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

ઉત્રાણ ખાતે ત્યાગમૂર્તિ માતા રમાઈ જન્મ જયંતી નિમિત્તે મહિલા જાગૃતિ સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદ, ભારતીય બૌદ્ધ મહા સભા, રિપબ્લિક એન્ડ પાર્ટી ઓફ ઇન્ડિયા (ભીમરાવ આંબેડકર)ઉત્રાણ, અમરોલી, કોસાડ વિભાગ સુરત શહેર દ્વારા ભારતીય બંધારણના ધડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજીના જીવન સંગીની ત્યાગમૂર્તિ માતા રમાઇ ભીમરાવ આંબેડકરજી ની 127 મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે મહિલાઓ અંધશ્રધ્ધા, કુરીવાજોથી નષ્ટ થાય. સ્વયંમ પ્રકાશિત થાય એવા ઉમદા હેતુથી 10મું મહિલા જાગૃતિ સમ્મેલન, સન્માન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમ ભીમ ગીતોનો કાર્યક્રમ રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા ના ગુજરાત પ્રદેશના મહિલા અધ્યક્ષ બૌદ્ધ સમાજ મહિલા અગ્રણી આશાબેન મંગળેના અધ્યક્ષ સ્થાને તેમજ ઉત્રાણ ગામના માજી સરપંચ બૌદ્ધ સમાજના વરિષ્ઠ અગ્રણી આપ્પાસાહેબ કાશીનાથસીરસાઠ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા બી.એ ના રાષ્ટ્રીય મહાસચિવ માનવબંઘુ વિજયભાઈ મૈસુરીયા, સમતા સૈનિક કેપ્ટન નીખાળજે, સત્ય શોધક સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓબીસી સમાજના અગ્રણી ઓમપ્રકાશ મૌર્ય, રિપબ્લિક એન્ડ પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્દી સેવા સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ ઝાડે, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ સ્વાતિબેન સોસા, એડવોકેટ એન્ડ નોટરી બૌદ્ધ સમાજ મહીલા અગ્રણી કીર્તનબેન સાળવે, ભીમોત્સવ સમિતિ અધ્યક્ષ સતીશભાઇ ચૌહાણ , બૌદ્ધ સમાજ અગ્રણીઓ આર.કે.સોનવણેદાદા, લોકજનશક્તિ પાર્ટીના ઉપાધ્યક્ષ નાગમલ પ્રભાકર, ત્રિશરણ બુદ્ધ વિહાર અધ્યક્ષ દિલીપ આહીરે ગુરુજી ,બામસેફ અગ્રણીઓ, સુભાષભાઇ ધુરંધરની ઉપસ્થિતિમાં મુખ્ય મહેમાનપદે તેમજ આમંત્રિત મહેમાન પદે રિપબ્લિકન પાર્ટીના મહિલા અગ્રણીઓ વંદનાબેન સૈદાણે, મહામંત્રી સુનંદાબેન નગરાળે, સુરત શહેર અધ્યક્ષ સંધ્યાબેન ભગત, મંહામંત્રી સુષ્માબેન પવાર, આર.પી.આઇના અગ્રણીઓ,બૌદ્ધ સમાજ અગ્રણીઓ શેષરાવ ખરાત, છબીલદાસ જાદવ, અશોક સેદાણે, ધમ્મપાલ આહીરે, જગદીશ પવાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત લોડ બુદ્ધ વિહાર અધ્યક્ષ, ભારતીય બૌદ્ધ મહાસભાના અગ્રણી ગૌતમભાઈ ઇંગળેએ ત્રિશરણ પંચશીલ ગ્રહણ કરાવી ત્યાગમૂર્તિ માતા રમાઈની પ્રતિમા ને પુષ્પાહાર અર્પણ કરી સ્વાગત ગીત કાર્યક્રમ શરુ થયો હતો.પંચશીલ મહિલા મંડળ, સમતા મહિલા મંડળ,રમાઈ મહિલા મંડળ,ભીમ સેના મહિલા મંડળ, સંઘમિત્રા મહિલા મંડળ તમામ મહિલાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ સફલ બનાવવા આયોજન સમિતિના સભ્યો, પ્રફુલ એસ.જગદેવ, ઉદ્ધવ પી.બાગલે, સુખદેવ વાનખેડે, સુરેશ કાપડણે, મનોહર ઠીવરે, ગૌતમ સુરવાડે, અંબાલાલ સોનવણે, સંતોષ ભગત, શિવાભાઇ ઠીવરે, દિનેશભાઈ ગૌતમ , સંધપાલ ધુરંધર, રીન્કુભાઇ જોષી, સુરેશ આખાડે, રવિન્દ્ર સોનવણે, મનોજ સીરસાઠ, વિનોદ જાવડે, ધમ્મપાલ આહીરે મીલીન ઇગળે, રાધેશ્યામ ગોતમ, અરુણ બહારે, રાજુભાઇ શિગારે, રાજુભાઇ ઇંગળે , જયંતિભાઇ કંથારીયા અન્ય ભીમસૈનિકે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. મહારાષ્ટ્ર ની સુપ્રસિધ્ધ ગાયિકા વૈશાલી ઇગળે એન્ડ પાર્ટીએ રમાઈ ભીમગીતોની રમઝટ બોલાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button