ગુજરાત
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સીઆર પાટીલ સાહેબના હસ્તે એકલ શ્રીહરિના સંભારણાનું વિમોચન

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સીઆર પાટીલ સાહેબના હસ્તે એકલ શ્રીહરિના સંભારણાનું વિમોચન
બુધવારે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સીઆર પાટીલ સાહેબ દ્વારા એકલ શ્રીહરિના સંભારણાનું વિમોચન કરવામાં આવ્યું હતું. એકલ શ્રીહરિના રાષ્ટ્રીય અધ્યક્ષ, સીએ મહેશ મિત્તલે જણાવ્યું હતું કે સંસ્થા અને તેના સભ્યોની માહિતી માટે બનાવેલ સોવેનિયરમાં સી.આર.પાટીલ ઉપરાંત નીતિન ગડકરી, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી વગેરે તરફથી શુભકામનાઓ છે. બુધવારે સમિતિના સભ્યોએ સીઆર પાટીલને સંભારણું અર્પણ કર્યું હતું. તેમણે કહ્યું કે એકલ શ્રીહરિ દેશ માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને હું આ સંસ્થાને શુભેચ્છા પાઠવું છું.