શિક્ષા
પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળા 232 અમરોલીમાં વાલી મીટીંગ અને SMC ની રચના કરાઈ

પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળા 232 અમરોલીમાં વાલી મીટીંગ અને SMC ની રચના કરાઈ
આજરોજ અમરોલી વિસ્તારની સુપ્રસિદ્ધ પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળામાં બાલવાટિકા થી 8 ધોરણની વાલી મીટીંગ અને એસ.એમ.સી કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં શાળામાં ભણતા બાળકોના વાલીને પ્રતિનિધિરૂપ પસંદ કરવામાં આવ્યા છે.. શાળાના આચાર્યશ્રી દ્વારા શાળાની સિદ્ધિઓ અને સરકારશ્રીની વિવિધ યોજના અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત તરફથી આપવામાં આવતા તમામ લાભોની વાલીઓને જાણ કરવામાં આવી… વાલી મિટિંગમાં 300 થી પણ વધુ વાલીઓ હાજર રહ્યા હતા અને તમામે પોતાના હાથ ઊંચા કરી નવી કમિટીને વધાવી હતી.આ કાર્યક્રમનું સંચાલન મનહરભાઈ જળોદરા ભરતભાઈ લખાણી દ્વારા થયું હતું અને આભાર વિધિ પ્રવિણસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.