રાજનીતિ

ચૂંટણી ટાણે દેડકાની જેમ બહાર નીકળતા જ્ઞાતિના આગેવાનો કેટલાક લોકો પ્રજાને મૂર્ખ બનાવવાનો છોડીને આપણા દેશ માટે વિચારવું પડશે

ભાજપ પ્રેરિત મીડિયા ને જાકારો આપી દેશ હિત માટે આગળ આવવું પડશે.

ભાજપ ની મીડિયા ક્યારેય સત્ય ઉજાગર નહી કરે કારણકે તે ચંદ રૂપિયા માં વેચાઈ ગઈ છે.

 

 

 

શું ભારત દેશ નો સંપૂર્ણ વિકાસ થયો છે ? ચિંતન કરવા નો એક ગંભીર વિષય છે દેશ માં ચૂંટણી આવે છે એટલે રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દેશ ની પ્રજા ને મૂર્ખ બનાવવા સિવાય કોઈ કામ કરતા નથી મતદાર પાંચ મિનિટ માટે કિંમતી બની જાય છે અને પાંચ વર્ષ સુધી એ મતદાર ની કોઈ કીમત નથી રહેતી,

કલ્યાણ કારી કરોડો રૂપિયાની યોજના ઓ કાગળ પર રહી જાય છે.

આપણા દેશના હજારો ગામડાઓમાં આજે પણ પૂરતું પાણી પીવા માટે પણ આપી શક્યા નથી… 42 ડિગ્રીમાં મારી ગુજરાતની બિહારની મધ્યપ્રદેશની બહેનો બે થી પાંચ કિલોમીટર સુધી ગુજરાતમાં બે બેડા પાણી માટે ચાલીને જાય છે.. મારી આંખમાં આંસુ આવી જાય છે ..ફક્ત ધર્મના નામે રાજનીતિ કરવી ક્યાંનો ન્યાય? આ હકીકત છે અને ખુદ ગુજરાતી ,બિહારી કે મધ્ય પ્રદેશ ૧૮ થી ૨૮ વર્ષો સુધી ભાજપાનું શાસન છે.. વાતો ભલે નલ સે જલ યોજનાની થાય ?? ઘર ઘર નળ જેવી પ્રમુખ જાહેરાતો જ જોવાની?? ત્યાં આ પરિસ્થિતિ છે. તમે કમર તોડ મોંઘવારી ગરીબી, બેકારી, અપૂરતા પાણીની ઉપર વ્યાજખોર નો આતંક જેવા , જ્ઞાતિ ને લગતા મુદ્દાઓ ઉપર મતદાન કરતા જ નથી.. ફક્ત ગુજરાતમાં ચૂંટણી આવે એટલે જ્ઞાતિવાદ અને પેટા જ્ઞાતિ વાર ભોજન પ્રસાદ કે સામાજીક સંવાદ કઈ પાર્ટી કરે છે ..સૌ જાણે છે.

ભારતના લાખો ગામડામાં મારા હિંદુ ભાઈઓ, ઓબીસી બક્ષીપંચના, દલિત આદિવાસી અલ્પસંખ્યક ભાઈઓ રહે છે તેના વિશે આપણે ક્યારે વિચારશું. મોટાભાગે શહેરી મતદારોએ અને આ કહેવાતા ચૂંટણી ટાણે દેડકાની જેમ બહાર નીકળતા જ્ઞાતિના આગેવાનો કેટલાક લોકો પ્રજાને મૂર્ખ બનાવવાનો છોડીને આપણા ગુજરાત અને દેશ વિશે આ વિચારવું પડશે.

મંદિર ,મસ્જિદ, સ્મશાન ,કબ્રસ્તાન ,પાકિસ્તાન, કાશ્મીર ,અઝાન ,નમાજ ઔરંગઝેબ, બાબર જેવા મુદ્દા ઉપર જ્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતી મીડિયા ધાર્મિક ધ્રુવીકરણની રાજનીતિ રમતી હોય એવું લાગે છે?

ગુજરાત માં આજે સર્વત્ર ભ્રષ્ટાચાર સિવાય કઈ જ નથી ભાજપ કાર્યકરો પણ આજે કોન્ટ્રાકટર બની ગયા છે ગરીબો માટે અનાજ ની , આરોગ્ય ની યોજના હેઠળ કે કોઈ પણ કલ્યાણ કારી જાહેરાતો ભાજપ માટે જ હોય એવું જોવા મળી રહ્યું છે

કોરોના સમય માં આપણે સૌ એ અનુભવ્યું છે અરે વેક્સિન કામગીરી અને વેક્સિને ભાજપ ના રાષ્ટ્ર વાદ ની પોલ ખોલી નાખી છે ભાજપ પાસે કોઈ મુદ્દો નથી ત્યારે શ્રી રામ નામ નો ઉપયોગ કરી મત માગવા નો વારો આવ્યો છે , ભાજપ ભારત દેશ માંથી કોંગ્રેસ મુક્ત કરવા ની વાતો કરતા કરતા ભાજપ જ કોંગ્રેસ યુક્ત બની ગયું , ખરેખર સાચો વ્યક્તિ હોય તો હૃદય ફાટી જાય અને જે ફક્ત પાર્ટી ભક્તિમાં પડ્યા છે તેને ખરેખર ઉનાળાની ગરમીમાં એક મહિનો ગામડામાં રોકાવું જોઈએ. અને પાણી ભરવા જવું જોઈએ તો ખબર પડે .. કે વિકાસ કોનો થયો છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button