ધર્મ દર્શન

સમગ્ર રાજકોટ બનશે જલારામમય

  ”જયાં રોટીનો ટુકડોત્યાં હરી ઢુકડો”

 રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ—મવડી પ્લોટ દ્વારા રાજકોટમાં સતત ૧૮ માં વર્ષે પૂ.જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતિ અનોખી ઉજવણી કરાશે.

 સમગ્ર રાજકોટ બનશે જલારામમય

 સર્વે ભાવિકોને મહાપ્રસાદમહાઆરતીના દર્શનનો લાભ લેવા આમંત્રણ.

રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ–મવડી પ્લોટ દ્વારા રાજકોટમાં સતત ૧૮ માં વર્ષે પૂ.જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી તા.૧૯ નવેમ્બરરવીવારના રોજસ્વાશ્રય સોસાયટી કોમ્યુનીટી હોલઆનંદ બંગલા ચોકડો. ભગવાનજીના દવાખાના સામેમવડી મેઈન રોડરાજકોટ ખાતે કરાશે.

ભોજન અને ભજનની અહાલેક સમગ્ર વિશ્વમાં જગાડનારઆપણા સૌના પરમ શ્રદ્ધેયપ્રાતઃસ્મરણીય,સંત શીરોમણી જલારામ બાપાના ૨૨૪ માં પ્રાગટય પર્વના ભકિતમયભાવભીના ઉત્સવની રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ–મવડી પ્લોટ દ્વારા રાજકોટ શહેરમાં સતત ૧૮ માં વર્ષે સંતોમહંતોવડીલો તેમજ લાખો ભાવિક સમુદાયના સથવારે એક અનેરી ઉજવણી કરવામાં આવનાર છે.

સમગ્ર આયોજનને રઘુવંશી વડીલોના માર્ગદર્શન હેઠળ જયદીપભાઈ કોટકભદ્રેશભાઈ રાયઠઠ્ઠાભાવેશભાઈ સવાણીમિત ખખ્ખરનિરવ રાયચુરા આ ઉપરાંત અનેક નામી અનામી કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો જહેમત ઉઠાવી રહયા છે.

આ અંગેની વિશેષ માહિતી માટે જયદીપભાઈ કોટક (મો.૯૭૩૭૦ ૦૪૭૯૮)ભદ્રેશભાઈ રાયઠઠ્ઠા (મો.૯૯૨૫૨ ૫૮૧૮૧)ભાવેશભાઈ સવાણી (મો.૯૪૨૮૨ ૩૧૯૮૪) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

માનવતાનો દીપ પ્રગટાવવાની હામ છે અમારી,

આપણા સૌના સહીયારા પ્રયાસથી જ

જયોતથી જયોત પ્રગટશે ન્યારી

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button