વ્યાપાર

અદાણી પોર્ટસે LIC પાસેથી આજ સુધીના સૌથી મોટા રુ.૫ હજાર કરોડના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર મેળવ્યા

અદાણી પોર્ટસે LIC પાસેથી આજ સુધીના સૌથી મોટા રુ.૫ હજાર કરોડના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર મેળવ્યા

બાયબેક માટે ઉપયોગમાં લેવાતા બોન્ડના નાણાથી ડેટ મેચ્યોરિટી પ્રોફાઇલ લંબાશે

અમદાવાદ, ૩૦ મે ૨૦૨૫: ભારતની વિરાટ સંકલિત પરિવહન યુટિલિટી કંપની અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.એ. ૧૫ વર્ષના સમય ગાળા માટે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર (એન.સી.ડી.) મારફત રુ.૫ હજાર કરોડ સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યા છે. અદાણી પોર્ટસની મજબૂત નાણાકીય સધ્ધરતા અને AAA -સ્થિર રેટીંગના ટેકાના આધારે એન.સી.ડી.નો આ ઇસ્યુ વાર્ષિક 7.75%ના સ્પર્ધાત્મક કૂપનના દરે આખરી થયો છે અને જીવન વિમા નિગમ (LIC) દ્વારા તેનું સંપૂર્ણપણે ભરણું કરવામાં આવ્યું છે, આ ડિબેન્ચર બોમ્બે સ્ટોક એક્સચેંજ ઉપર લિસ્ટેડ થશે.

આકર્ષક ભાવે પ્રાપ્ત થયેલ આ ઇસ્યુ વૈવિધ્યસભર સ્ત્રોતોમાંથી લાંબા ગાળા માટે મૂડી મેળવવાની અદાણી પોર્ટસની સક્ષમતાની પ્રતીતી કરાવવા
સાથે APSEZL ડેટ મેચ્યોરિટી પ્રોફાઇલમાં નોંધપાત્ર વધારો કરે છે. આ વ્યવહાર APSEZLને તેના અસ્તિત્વના ઇતિહાસના સૌથી લાંબા ગાળાના ઇસ્યુ માટે સ્થાનિક બજારોમાં પ્રવેશના માર્ગને ખોલે છે. આ ઇસ્યુ ભારતીય મૂડી બજારની તવારીખમાં સૌથી લાંબા ગાળામાંનો એક છે. બોન્ડની આ રકમ અદાણી પોર્ટસના USD બોન્ડ્સના પ્રસ્તાવિત બાયબેક ભંડોળ પુરું પાડશે. જે ૩૧મી મે-૨૦૨૫ના રોજની બોર્ડની મંજૂરી માટે બાકી છે. આ સંપૂર્ણ ભરણું એકંદર દેવાની પાકતી મુદતને 4.8 વર્ષથી વધારી 6.2 વર્ષની કરશે.

​કંપનીના પૂર્ણકાલિન ડાયરેકટર અને સી.ઇ.ઓ. શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે આ માત્ર નાણાકીય સહાય જ નહી પરંતુ APSEZ માટે સંભાળપૂર્વક વિક્સિત મૂડી વ્યવસ્થાપન યોજનાનું સક્રિય અમલીકરણ છે. જે રુઢીચૂસ્ત લીવરેજ જાળવવા, દેવાની પરિપકવતાની પ્રોફાઇલને વિસ્તારવા, ખર્ચ ઘટાડવા અને ભંડોળોના સ્ત્રોતોનું વૈવિધ્યકરણ કરવા ઉપર કેન્દ્રીત છે. આ યોજના કંપનીને વિશ્વની સૌથી વિરાટ સંકલિત પરિવહન યુટિલિટી બનાવવાની પરિકલ્પનાને સાકાર કરવા માટે ઘડવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે APSEZનું લક્ષ્ય નાણાકીય વર્ષ-૨૦૩૦ સુધીમાં ૧ અબજ ટન કાર્ગોનું પરિવહન કરવાનું છે. જે નાણા વર્ષ-૨૫ના લક્ષ્ય કરતા બમણું છે. કંપનીએ તેની બંદરિય કામગીરી ઉપરાંત તેના લોજિસ્ટિક્સ અને સામુદ્રિક વ્યવસાયોના વિસ્તરણની પણ મહત્વાકાંક્ષી યોજનાઓ પ્રસતુત કરી છે.

​દેવાની ચુકવણીની સમયાવધિ અને મૂડી ખર્ચમાં સતત સુધારો થવાના પરિણામે અદાણી પોર્ટસને શાંત મૂડી અને ઉંચી પ્રવાહિતા સુલભ થાય છે, જે લાંબા ગાળાના આયોજન અને વિરાટકાય પ્રકલ્પો માટે મહત્વના છે. વધુમાં તે ઇનઓર્ગેનિક તકો માટે સરળ નાણાકીય અનુકૂળતા પૂરી પાડી નવા આયામો, ટેકનોલોજીના અપગ્રેડેશન અને કામકાજની કાર્યક્ષમતા વધારવા માટે સંસાધનોના પુન:વિતરણને સક્ષમ બનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button