કૃષિ

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા માંડવી તાલુકાના અરેઠ ગામના ગ્રામવાસીઓ:

સુરતઃમંગળવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંડવી તાલુકાના અરેઠ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

જિલ્લા પંચાયતના સદસ્ય ગીતાબેન પટેલ દ્વારા પ્રાસગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. સરપંચ હિનાબેન નીરવભાઈ સોલંકી તથા તલાટી કમ મંત્રી દેવેન્દ્રભાઈ ચૌધરી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે વિવિધ યોજનાઓ વિષે જાણકારી ગ્રામજનોને પૂરી પાડી હતી. તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધી, વય વંદના યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, icds વિભાગ, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.

આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના , Icds વિભાગ ના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, સરપંચ એસોસિયેશનના પ્રમુખ, તાલુકા સંગઠનના પ્રમુખ દિનેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય નિરાવભાઈ સોલંકી ,CDHO જિલ્લા આરોગ્ય અધિકારી અનિલભાઈ, THO માંડવી નરેન્દ્રભાઇ ચૌધરી, મામલતદાર મનીષભાઈ પટેલ, પુરવઠા અધિકારી સંધ્યાબેન, ગામના અગ્રણીઓ,આંગણવાડી કાયૅકર, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button