યુવાની, ચળકતી ત્વચા માટે આ એન્ટી-એજીંગ શ્રેષ્ઠ ખોરાક ખાઓ

યુવાની, ચળકતી ત્વચા માટે આ એન્ટી-એજીંગ શ્રેષ્ઠ ખોરાક ખાઓ
કોને વૃદ્ધ દેખાવુ ગમે છે? તેનો જવાબ સરળ છે: કોઇને નહી. પરંતુ ઝડપથી બદલાતુ પર્યાવરણ ફક્ત તમારી શારીરિક આરોગ્યને જ નહી પરંતુ તમને કલ્પના પણ ન આવે તે રીતે તમારી ત્વચાના આરોગ્યને પણ માઠી અસર પહોંચાડે છે. વાયુ પ્રદૂષકો, ભેજ, સૂર્યપ્રકાશના વધુ પડતા સંપર્ક અને હાનિકારક યુવી કિરણો જેવી સમસ્યાઓ ચાલુ રહેવાથી સુંદર રેખાઓ, કરચલીઓ અથવા તો ઝોલ (ત્વચા લચી પડવી) જેવી સમસ્યાઓ થઈ શકે છે. અને ક્યારેક, જાદુ ત્યારે થાય છે જ્યારે તમે તમારા આહારમાં ફેરફાર કરો છો, કદાચ તેને સ્વસ્થ બનાવીને જે ત્વચાની સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપે છે અને અકાળ વૃદ્ધત્વ (એન્ટી એજીંગ)ને અટકાવે છે.
આ ત્વચાની મુશ્કેલીઓને નાથવી તે અનેક લોકો માટે જટીલ હોઇ શકે છે, ત્યારે તેની પર ધ્યાન કેન્દ્રિત કરવાનું આંતરિક આરોગ્યને પ્રાધાન્યતા આપવાથી શરૂ થાય છે. તેમાં વધુ આત્મદ્રષ્ટિ નાખવા માટે, આપણે એક નિષ્ણાંતનો સંપર્ક સાધ્યો છે, જેઓ ચોક્કસ પ્રકારના ખોરાકથી આ સમસ્યાઓ પર કેવી રીતે ધ્યાન આપવુ તે જણાવે છે.
ત્વચા નિષ્ણાંત અને કોસ્મેટોલોજિસ્ટ ડૉ. ગીતીકા મિત્તલ માને છે કે ખોરક આપણા બાહ્ય દેખાવમાં અગત્યનો ભાગ ભજવે છે અને તે સાચો હોતો નથી! ત્વચાની સમસ્યાની સારવાર કરવા માટે, તેમાંયે ખાસ કરીને કરચલીઓ અને સુંદર રેખાઓ માટે તેણી બદામ, દહીં અને અન્ય સંપૂર્ણ વિકલ્પો સહિતના પોષયક્ત ખોરાકને પણા દૈનિક ખોરાકમાં સમાવવાની ભલામણ કરે છે.
અહીં નિષ્ણાતે સુચવેલા પાંચ ખોરાક આપેલા છે:
બદામ – દૈનિક ખોરાકમાં ફરજિયાત ઉમેરણ ત્વચાના આરોગ્યને પ્રોત્સાહન આપે છે, બદામ તંદુરસ્ત ચરબી અને વિટામીન જેવા પોષણથી ભરપૂર છે. અકાળા વૃદ્ધત્વના લાભો પ્રદાન કરતા વિટામીન E પમ ભરપૂર માત્રામાં બદામમાં જોવા મળે છે, જે ત્વચાના ટોનના અને ટેક્ષ્ચરને જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે. દૈનિક ધોરણે તમારા ખોરાકમાં બદામનો સમાવેશ કરવાનો એક રમૂજી માર્ગ એ છે કે તેને શેકીને નાસ્તામાં સમાવવી જોઇએ. જ્યારે વિલંબિત વૃદ્ધત્વની વાત આવે ત્યારે તે કરચલીઓના દેખાવને ઓછી કરવામાં મદદ કરે છે. વધુમાં બદામનું દૈનિક સેવન ત્વચાની UVB પ્રકાશ સામે પ્રતિકારકતાને ટેકો આપે છે, જે સૂર્ય પ્રકાશ સામે ત્વચાને નુકસાન કરતા મુખ્ય સ્ત્રોત છે. તેથી પોષણયુક્ત ખોરાકમાં બદામને ઉમેરવી તે સરળ છતાં ત્વચાને તંદુરસ્ત અને ચળકતી રાખવા માટેનો અસરકારક માર્ગ છે.
સૅલ્મોન – આ અત્યંત શ્રેષ્ઠ છે! ફેટી માછલી, સૅલ્મોન, તમારી એકંદર ત્વચાના સ્વાસ્થ્ય પર ખૂબ અસર કરી શકે છે. ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર, તે ત્વચાને હાઇડ્રેટેડ અને નરમ રાખવામાં મદદ કરે છે. બળતરા ઘટાડવા માટે જાણીતી, આ ફેટી એસિડ ત્વચાને શાંત કરે છે અને યુવી કિરણોથી રક્ષણ આપે છે. વધુમાં, ઓમેગા-3 કોલેજન ઉત્પાદનને વેગ આપે છે, ત્વચાની મજબૂતાઈ જાળવી રાખીને સુંદર રેખાઓ અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.
શક્કરિયા – આ વિટામિન E અને C જેવા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે ત્વચાને મુક્ત રેડિકલથી સુરક્ષિત કરે છે અને અકાળ વૃદ્ધત્વ સામે અવરોધ તરીકે કાર્ય કરે છે. તેમાં વિટામિન A પણ હોય છે, જે ત્વચાના કોષોના વધારા અને મરમ્મત માટે મહત્વપૂર્ણ છે. આ વિટામિન કરચલીઓ ઘટાડવામાં અને ત્વચાની મજબૂતાઈ જાળવવામાં મદદ કરે છે, જે શક્કરિયાને ત્વચા-લક્ષી આહારમાં મૂલ્યવાન ઉમેરો બનાવે છે.
સાઇટ્રસ (તૂરા) ફળ – નારંગી અને બેરી જેવા ફળો વિટામિન Cથી ભરપૂર હોય છે, જે ત્વચાના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ પોષક તત્વો છે. વિટામિન C કોલેજન ઉત્પાદનને ટેકો આપે છે, જે ત્વચાની મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા જાળવવા માટે જરૂરી છે. કોલેજનનું સ્તર ઉંમર સાથે કુદરતી રીતે ઘટતું હોવાથી, તમારા આહારમાં આ ફળોનો સમાવેશ કરવાથી કરચલીઓ અને સુંદર રેખઓની સંભાળમાં મદદ મળી શકે છે, જે યુવા દેખાવને પ્રોત્સાહન આપે છે.
તેના ફાયદાઓમાં ઉમેરો કરીએ તો, સાઇટ્રસ ફળોમાં રહેલા એન્ટીઑકિસડન્ટો ત્વચાને પર્યાવરણીય પ્રદૂષકોથી રક્ષણ આપે છે, નુકસાન સામે વધારાનું રક્ષણ આપે છે અને એકંદર ત્વચાના સ્વાસ્થ્યને ટેકો આપે છે.
દહીં – ત્વચા સંભાળની વાત આવે ત્યારે આ એક ઉમદા ગ્રેઇલ છે. તે આહારમાં એક મૂલ્યવાન ઉમેરો છે, જે લેક્ટિક એસિડ અને એન્ટીઑકિસડન્ટો પ્રદાન કરે છે, જેમાં વિટામિન B2, B6 અને B12નો સમાવેશ થાય છે. લેક્ટિક એસિડ કુદરતી એક્સ્ફોલિયન્ટ તરીકે કાર્ય કરે છે, જે મૃત ત્વચા કોષોને દૂર કરવામાં મદદ કરે છે અને કડક, વધુ તાજગીભર્યા દેખાવને પ્રોત્સાહન આપે છે. દહીંમાં જોવા મળતા વિટામિન્સ ત્વચાના સ્વાસ્થ્યને ટેકો આપે છે, ઝૂલતી ત્વચા સામે લડે છે અને ત્વચાના સ્વાસ્થ્યમાં યોગદાન આપે છે.