ધર્મ દર્શન

શું પિતા પરમેશ્વર અમારા મિત્ર છે? – સંત રાજીન્દર સિંહજી મહારાજ

શું પિતા પરમેશ્વર અમારા મિત્ર છે? – સંત રાજીન્દર સિંહજી મહારાજ

આજકાલ આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં ચારે બાજુ એકાંત અને એકલા પણુ ફેલાયેલું છે. પોતાના જીવનની વ્યસ્તતાના કારણે આપણે એકબીજા થી વાત કરવા અને પોતાની આસપાસના લોકોની ઉપસ્થિતિનો આનંદ લેવામાં ઓછો સમય વિતાવીએ છીએ. બહુ જ ઓછા લોકોના સંપર્ક હોવાને કારણે આપણે દરેક જગ્યાએ અલગ-અલગ અને એકલા પણા નો અનુભવ કરીએ છીએ. જેના લીધે આપણી અંદર એવો ડરામણો ભાવ આવે છે કે જીવનમાં આપણો કોઈ સહારો નથી. પરિણામ સ્વરૂપ આ અવસ્થા આપણને તણાવ, એકાંત અને મોહભંગ ની સ્થિતિની તરફ લઈ જાય છે.

આ આ તણાવગ્રસ્ત સ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે બધાએ એકબીજાનો સહારો, પ્રેમ અને કદર નો અનુભવ કરવાની જરૂરત છે. જ્યારે આપણે પોતે આ પ્રેમ અને એકબીજાને સમજવાની સ્થિરતા નો અનુભવ કરીએ છીએ તો આપણા માટે આ મુશ્કેલ સમયમાંથી પસાર થવું સરળ બની જાય છે અને આપણે વધારે પ્રેમપૂર્ણ, શાંત અને સુખી જીવન જીવવાના લાયક થઈ જઈએ છીએ. એમાં કોઈ બે મત નથી કે જીવનમાં એક સાચો મિત્ર હોવો બહુ જ જરૂરી છે. જેથી કરીને આપણે પોતાનો ભાર અને મુશ્કેલીઓને વહેંચી શકીએ અને આપણે તેના પર ભરોસો કરી શકીએ જેથી કરીને આપણું એકલા પણું દૂર થાય. પરંતુ આપણને આવી દોસ્તી ક્યાં મળી શકે જે હંમેશા માટે બની રહે?

સંત મહાપુરુષ આપણને સમજાવે છે કે આ સંસારમાં ફક્ત એક જ વસ્તુ હંમેશા હંમેશા માટે રહેવાવાળી છે અને તે છે પિતા પરમેશ્વર. આ દુનિયાની બાકી બધી વસ્તુઓ બદલાઈ જવા વાળી છે. ફક્ત પિતા પરમેશ્વર આપણી હંમેશા રક્ષા કરવા વાળા, હંમેશા આપણા સાથી, આપણા સાચા મિત્ર અને હંમેશા આપણા ઉપર પ્રેમ વરસાવા વાળા હોય છે. જ્યારે આપણે તેમના પ્રેમનો અનુભવ કરીએ છીએ અને તેમની સાથે પોતાની મિત્રતા મેળવીએ છીએ તો આપણા માટે એક નવી દુનિયા ખુલી જાય છે જેની આપણે કોઈ દિવસ કલ્પના પણ નહીં કરી હોય. જ્યારે આપણને પિતા પરમેશ્વર પ્રેમનો અનુભવ થાય છે તો આપણે અંદરથી પ્રેમ અને સુરક્ષાની ભાવનાથી ભરાઈ જઈએ છીએ અને આસપાસની ઉથલ પુથલ થી પ્રભાવિત થયા વગર પોતાનું જીવન જીવવાનું શરૂ કરી દઈએ છીએ.

આપણે ધ્યાન અભ્યાસ ના માધ્યમથી પિતા પરમેશ્વર સાથે પોતાની મિત્રતાને અનુભવ કરી શકીએ છીએ. તેના દ્વારા આપણે પોતાના અંદર જ પિતા પરમેશ્વર ના રૂપમાં એક સાચો મિત્ર મળી જાય છે જેની સાથે જોડાઈને આપણે હંમેશા હંમેશા નું સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ અને તેમના જ્ઞાન, શાંતિ, આનંદ અને પ્રેમની વિશેષતાને બીજામાં પણ વહેંચી શકીએ છીએ. આપણને જે શાંતિ અને આનંદ મળશે ધીરે ધીરે તે આપણા પર્યાવરણમાં ફેલાઈ જશે જેથી કરીને આપણી આસપાસની દરેક વસ્તુ પર સકારાત્મક પ્રભાવ પડશે. જેના પરિણામ સ્વરૂપ ન ફક્ત આપણે પરંતુ આપણી આસપાસ નો માહોલ પણ સુખદ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button