જમ્મુના રામબનમાંજમીન ધસી પડવાને કારણે અનેક મકાનોમાં તિરાડો પડી

જમ્મ્-કાશ્મીરના રામબનમાં જમીન ખસી જવાનો મામલો સામે આવ્યો છે. જેના કારણે અહીં ૫૦થી વધુ મકાનોને નુકસાન થયું છે. વધુમાં, ચાર વીજળીના ટાવર પડી ગયા અને એક રસ્તો નાશ પામ્યો. આ ઘટના જિલ્લા મુખ્યાલયથી ૫ કિલોમીટર દૂર આવેલા પરનોટ ગામમાં બની હતી. ડેપ્યુટી કમિશનર બસીર-ઉલ-હક ચૌધરીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.પેરનોટ ગામમાં જમીન ધસી જવાને કારણે ગુલ અને
રામબન વચ્ચેનો મહત્વનો રોડ સંપર્ક તૂટી ગયો હતો. સાંજે જ્યારે ઘરોમાં તિરાડો દેખાવા લાગી ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. જેના કારણે વિસ્તારના અનેક પરિવારોને સલામત સ્થળે જવાની ફરજ પડી હતી.જમીન નીચે પડવા પાછળનું કારણ જાણવા માટે ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાતોને બોલાવવામાં આવ્યાછે, જ્યારે જિલ્લા અધિકારીઓની એક સમર્પિત ટીમને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તૈનાત કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ચૌધરીએ કહ્યું કે જમીન સતત ડૂબી રહી છે, પરંતુ
અમારું તાત્કાલિક ધ્યાન રોડ એક્સેસ અને વીજળી જેવી આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવા પર છે. અમે સક્રિયપણે તંબુ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરી રહ્યા છીએ અને પીડિતોને મદદ કરવા માટે મેડિકલ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ની ટીમો સાથે સ્થાનિક સ્વયંસેવકોએ અસરગ્રસ્ત પરિવારોને ક્ષતિગ્રસ્ત ઘરોમાંથી તેમનો સામાન ખસેડવામાં મદદ કરી હતી.