Uncategorized

રામદેવ-બાલકૃષ્ણએ વધુ એક માફી પત્ર છપાવ્યું પતંજલિ વિજ્ઞાપન કેસમાં બિનશરતી માફી માંગી

પતંજલિ ગ્રૂપ પર અખબારોમાં જાહેરાતો પ્રકાશિત કરીને એલોપેથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કરવાનો આરોપ હતો, જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. તેમાં સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ પતંજલિએ બુધવારે (24 એપ્રિલ) અખબારોમાં વધુ એક માફી પત્ર પ્રકાશિત કર્યો હતો. અગાઉ, પતંજલિએ 22 એપ્રિલે પણ માફી પત્ર પ્રકાશિત કર્યો હતો, જેના માટે કોર્ટે તેમના નાના કદ માટે તેમને ઠપકો આપ્યો હતો.

પતંજલિ પર ખોટા દાવાઓ કરતી જાહેરાત બદલ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં બાબા રામદેવને બિનશરતી

રામદેવ-બાલકૃષ્ણએ વધુ એક માફી પત્ર છપાવ્યું પતંજલિ વિજ્ઞાપન કેસમાં બિનશરતી માફી માંગી

માફી માગવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો. આ અંગેની જાહેરાતો 67 છાપાઓમાં છાપ્યા બાદ પણ કોર્ટને સંતોષ નહીં થતાં ફરી એકવાર મોટા અક્ષરે જાહેરાતો છાપવાનો આદેશ કર્યો

હતો. તેના ઉપક્રમે પતંજલિએ બુધવારે માફીપત્ર મોટા અક્ષરનું પ્રકાશિત કર્યું હતું. માફી પત્રમાં લખ્યું કે, અમે જાહેરાતો પ્રકાશિત કરવામાં ભૂલ માટે નિષ્ઠાપૂર્વક અને બિનશરતી

માફી માંગીએ છીએ. આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય. અમે સર્વોચ્ચ અદાલતના નિર્દેશોનું સાવધાની સાથે પાલન કરવાનું વચન આપીએ છીએ. હકીકતમાં, પતંજલિએ મંગળવારે (23 | એપ્રિલ) સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેણે 67 અખબારોમાં માફી પત્ર પ્રકાશિત કર્યો હતો. તેના પર જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું હતું કે શું તમારી માફીનું કદ પણ તમારી જાહેરાતો જેટલું જ હતું? કૃપા કરીને આ જાહેરાતોના કટિંગ્સ અને અમને મોકલો. આને મોટું લો કરવાની જરૂર નથી. અમે તેનું વાસ્તવિક કદ જોવા માંગીએ છીએ. જ્યારે તમે થયેલી જાહેરાત પ્રકાશિત કરો છો તેનો અર્થ એ નથી કે અમે તેને માઈક્રોસ્કોપથી જોઈશું.

વિજ્ઞાપન કેસમાં બિનશરતી માફી માંગી; અગાઉ સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે માઇક્રોસ્કોપથી તો વાંચવું નહીં પડે ને? ત્યારબાદ મોટા અક્ષરે છાપવા આદેશ કર્યો હતો, 30મીએ વધુ સુનાવણી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
preload imagepreload image