કામરેજ તાલુકાના ઉંભેળ ગામના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા ગ્રામવાસીઓ:

સુરતઃ ગુરૂવારઃ- કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના કામરેજ તાલુકાના ઉંભેળ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ અવસરે સરકારની કલ્યાણકારી યોજનાઓની વિગતો આપવામાં આવી હતી. તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી ભારતીબેન રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી હર્ષદભાઇ ઢોડીયા, તાલુકા પંચાયતના દંડકશ્રી મંજુબેન રાઠોડ, તાલુકા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતિ પુષ્પાબેન પરમાર, જિલ્લા પંચાયતના સભ્યશ્રી સુમનબેન રાઠોડ, શાસક પક્ષના નેતા શ્રી રમેશભાઇ સીંગાણા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.