વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા ઉમરપાડા તાલુકાના ચવડા અને નાના સુતખડકા ગામના ગ્રામવાસીઓ

સુરતઃશુક્રવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઉમરપાડા તાલુકાના ચવડા અને નાના સુતખડકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ પ્રસંગે મદદનીશ ખેતી નિયામક ડૉ. પુષ્પકાન્તભાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને તેના ઉદ્દેશ વિષે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધી, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઇ.સી.ડી. એસ વિભાગ, પશુપાલન માટેની વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે ચવડા, નાના સુતખડકા ગામે સુરત જિલ્લા કારોબારી અધ્યક્ષ રાજુભાઇ વસાવા, તાલુકા પૂર્વ પ્રમુખ શારદાબેન, કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ વસાવા, સરપંચ ફતેસિંગભાઈ, ગામના અગ્રણી દક્ષાબેન, સંગઠન મહામંત્રી અર્જુનભાઈ, ATDO હેમુભાઈ,તા.પં.પ્રમુખ ગુલાબભાઈ, તલાટી રાજેશ ભાઈ, ગ્રામ સેવક વૈશાલીબેન ,તા.પં.સભ્ય ઈશ્વરભા, મુખ્ય સેવિકા હંસાબેન ગણવાડી, તેડાગર અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.