પ્રાદેશિક સમાચાર

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા માંગરોળ તાલુકાના માંગરોળ ગામના ગ્રામ વાસીઓ

સુરત:શુક્રવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંગરોળ તાલુકાના માંગરોળ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે માજી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેન્દ્રસિંહ સોલંકી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજના, તેમજ આઇસીડીએસ માંથી મળતી તમામ યોજનાઓ જેવી કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પોષણ સુધા યોજના, આંગણવાડી પર બાળકો, સગર્ભા તથા ધાત્રીને મળતા લાભો વિષે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો નો વિતરણ કરવામાં આવ્યું હતું. આઇસીડીએસ વિભાગના ૧ લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા તથા મહનુભવોના હસ્તે તેમને લાભ આપવામા અવ્યા. તેમજ આંગણવાડીની બહેનો દ્વારા વિવિધ વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે માજી તા.પં.પ્રમુખ જયચંદભાઈ વસાવા, સેવા સહકારી મંઙળી ઉપપ્રમુખ ઈસમાઈલભાઈ વકીલ,BRC માંગરોલ હીરાભાઈ ભરવાડ, તલાટી હિમાંશુભાઈ, મુખ્ય સેવિકા હંસાબેન જે વસાવા,લાભાર્થીઓ ,આંગણવાડીની બહેનો ,તેડાગર અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button