આરોગ્ય

અમરનાથ યાત્રા માટે ફિટનેસ પ્રમાણપત્ર માટે સેન્ટર શરૂ

  • અમરનાથ યાત્રા માટે ફિટનેસ પ્રમાણપત્ર માટે સેન્ટર શરૂ
  • સિવિલ હોસ્પિટલમાં પ્રથમ દિવસે જ લોકોઍ લાંબી લાઈન લગાવી દીધી
    સુરત નવી સિવિલમાં અમરનાથ યાત્રા માટે આવશ્યક ફિટનેસ પ્રમાણપત્ર આપવાનું શરૂ કરાયું છે.
    ૨૯ જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. જે ૧૯ ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો ૬૦ દિવસને બદલે ૪૫ દિવસનો રખાયો છે. યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે. નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. જે જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્‌લોર પર ૯ થી ૧૨ કલાક સુધી ચાલશે. આજે પહેલો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવા માટે આવ્યા હતા. જોકે આવતીકાલે રવિવારની રજા છે અને બાદમાં સોમવારથી શુક્રવાર રાબેતા મુજબ આ કામગીરી ચાલું રહેશે.
    ૧૩ વર્ષથી નાની વયનાં બાળકો, ૭૫ વર્ષથી મોટી વયના વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મુકાવનારા હાર્ટ પેશન્ટોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપાશે નહીં. લાંબી લાઇન ટાળવા આ વખતે પણ નવી સિવિલમાં ટોકન સિસ્ટમ રખાઈ છે. એક દિવસમાં ૫૦૦ ટોકન અપાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, દર વખતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે અમરનાથ જતા હોય છે.
    આ વખતે અમરનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન ૧૫ એપ્રિલને સોમવારથી શરૂ કરવામાં આવી રહ્યું છે, તે જ દિવસથી ચારધામ યાત્રાનું પણ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. જો કે, અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે શ્રદ્ધાળુઓએ સરકારની ગાઇડલાઇનનું પાલન ફરજિયાત કરવું પડશે. ચારધામ યાત્રા માટે યાત્રીઓને કોઇ પણ પ્રકારના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર નથી, એવું સ્થાનિક તંત્રનું કહેવું છે.
    યાત્રા પર જનારી વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના ૪ ફોટોગ્રાફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કોઇ પણ એક ફોટો, આઇડી પ્રુફ (ઓરિજિનલ અને ઝેરોક્ષ બંને સાથે લાવવા પડશે) હેલ્થ સર્ટિફિકેટ ફોર્મની બે નકલ પણ યાત્રીઓએ લાવવાની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button