નવચેતન અદાણી વિદ્યાલય ,જુનાગામ ખાતે વિશ્વ ચકલી દિનની ઉજવણી

નવચેતન અદાણી વિદ્યાલય ,જુનાગામ ખાતે વિશ્વ ચકલી દિનની ઉજવણી
તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ઘાડું ,
મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું.
-રમેશ પારેખ
સુરત : નવચેતન અદાણી વિદ્યાલય ,જુનાગામ ખાતે તારીખ 20 /03 / 2024 ના રોજ “I Love Sparrows, we love Sparrows” થીમ આધારિત વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ લુપ્ત થતી ચકલીની પ્રજાતિઓને અટકાવવા સહભાગી બને એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષક દ્વારા ચકલી દિનનું મહત્ત્વ દર્શાવતું વક્તવ્ય રજૂ થયું હતું. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા ચકલીને રહેવા માટેની જુદા જુદા આકારની છાજલીઓ, માળા, ઘર, પાણી પીવા માટેની ઠીબ તેમજ ચણ નાખવા માટેના ચણપાત્ર-અક્ષય પાત્ર બનાવ્યા હતા. આ દરેક વસ્તુઓ તેમણે પોતાના ઘરની આસપાસમાંથી મળી રહેતી વેસ્ટ વસ્તુઓ જેવી કે ઘાસના તણખલા, નાળિયેરની કાચલીઓ, નારિયેળનાં રેસા, રૂ, શણની દોરીઓ, કાગળ, પૂંઠાઓ, સૂકું ઘાસ અને પાંદડા જેવી વસ્તુઓનો ઉપયોગ કરી બનાવ્યા હતા. ખૂબ ઉત્સાહ સાથે ચકલીઓની એમનાં માળામાં આવવાની રાહ જોતા હોય એમ વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં અને એમનાં ઘર આંગણે માળાઓ મૂક્યા હતા.