પલસાણા તાલુકાના એના ગોટીયા ગામે ધારાસભ્ય શ્રી ઈશ્વર પરમારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા ગ્રામવાસીઓ:

સુરતઃ શુક્રવાર:- કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના પલસાણા તાલુકાના એના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે અધિકારીઓએ યોજનાઓની વિગતો આપી હતી.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ ભાવિની બેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ, જીલ્લા સંગઠનના પ્રમુખ અશોકભાઈ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, તાલુકા પંચાયત સભ્ય શ્રી દિપ્તીબેન, તાલુકા પંચાયતના સંગઠન પ્રમુખશ્રી જીગ્નેશભાઈ, મામલદારશ્રી પલસાણા, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, આંગણવાડી કાર્યકર અને તેડાગર, આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી, ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.