શિક્ષા

ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓને શિષ્યવૃત્તિ આપવાની અદાણી ગ્રુપની જાહેરાત 

ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓને શિષ્યવૃત્તિ આપવાની અદાણી ગ્રુપની જાહેરાત 
અમદાવાદ, ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬: નેતૃત્વ વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો મજબૂતી સાથે અમલ કરતા અદાણી ઔદ્યોગિક સમૂહે ૨૦૨૫-૨૭ માટેના અદાણી એક્સિલરેટેડ લીડરશીપ પ્રોગ્રામ(AALP) હેઠળ ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ભંડોળવાળી ૨૪ શિષ્યવૃત્તિઓની જાહેરાત કરી છે.
બેંગ્લોર, કલકત્તા અને લખનૌમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ તથા ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (ISB) માંથી પસંદ કરવામાં આવેલા તેજસ્વી યુવા પ્રતિભાઓનું અમદાવાદ ખાતેના અદાણી ગ્રુપના મુખ્યાલયમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મેનેજિંગ ડિરેક્ટર અને અદાણી સિમેન્ટના ડિરેક્ટર શ્રી કરણ અદાણી દ્વારા ઔપચારિક રીતે સન્માન કરવામાં આવ્યું હતું.
ઉંચી તેજસ્વીતા ધરાવતા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ વિકટ નાણાકીય સંજોગોના કારણે ઉચ્ચ વિદ્યાભ્યાસથી વંચિત ના રહે તેવા અભિગમ સાથે આવા તેજસ્વી-ઓજસ્વી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સુનિશ્ચિત કરવાના હેતુથી અદાણી એક્સિલરેટેડ લીડરશીપ પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના ફક્ત ગુણવત્તા  અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રદર્શિત કરતા અને નાણાકીય જરૂરિયાતને સાંકળતા વિદ્યાર્થીઓની પસંદગી એક ચૂસ્ત મૂલ્યાંકનના માળખા પર આધારિત છે
તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને સંબોધતા શ્રી કરણ અદાણીએ કહ્યું હતું કે “આ શિષ્યવૃત્તિ એક કાર્યક્રમ છે. અદાણી સમૂહ માને છે કે પ્રતિભા દરેક ક્ષેત્રમાં પ્રતિભાઓ પડેલી છે પરંતુ તક નથી. આ છાત્રો તેઓની ઝળહળતી શૈક્ષણિક કારકીર્દી અને યોગ્યતાના કારણે અહીં છે. રાષ્ટ્રીય સ્તરે તેઓએ સ્પર્ધા કરી, તેમની શ્રેષ્ઠતા પૂરવાર કરીને તેમનું સ્થાન હાંસલ કર્યું છે. તેમણે વધુમાં અદાણી સમૂહની ભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યું હતું કે અમે ઍક્સેસ, એક્સપોઝર અને માર્ગદર્શન તેમની મહત્વાકાંક્ષા સાથે અનુકૂલન સાધે તે સુનિશ્ચિત કરીએ છીએ જેથી તેઓ ભારતના વિકાસના આગામી તબક્કાનું નેતૃત્વ કરી શકવા સક્ષમ બનીને બહાર આવે.
ભારતના ઉભરતા નેતૃત્વના સેતુની ઊંડાઈ અને વિવિધતાને ૨૦૨૫-૨૭ સમૂહ પ્રતિબિંબિત કરે છે..
. શિષ્યવૃત્તિ માટે પસંદગી પામનારામાંના એક એવા આંધ્રપ્રદેશના એક નાના ગામમાં ઉછરેલા આનંદ બાબુ કામીનેનીનો શૈક્ષણિક રાહ દર્શાવે છે કે તક સુધી પહોંચવા કેવી દ્રઢતાથી આકાર પામેલી પ્રતિભાને કંડારી શકે છે. તેઓ IIM-કલકત્તામાં એમ.બી.એ.ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી છે, જેમણે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE), કોમન એડમિશન ટેસ્ટ (CAT) અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) સહિતની રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ટોચના ૦.૧ ટકામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
IIM-લખનૌના આયુષ શ્રીવાસ્તવ ૫00 થી વધુ ઇજનેરોને જટિલ તેલ અને વાયુ સિસ્ટમ્સમાં તાલીમ આપવા યુરોપિયન ઓફશોર કામગીરીમાં મહત્વની ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે નેતૃત્વ કરવાનો અનુભવ ધરાવે છે, જે વધતા જતા એકબીજા સાથે જોડાયેલા વૈશ્વિક અર્થતંત્રમાં જરૂરી તકનીકી ઊંડાણ અને વ્યવસ્થાપક ક્ષમતાના મિશ્રણને પ્રતિબિંબિત કરે છે.
આ સમૂહમાં સલામતી અને અમલીકરણ શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કરીને મોટી ઓપરેશનલ ટીમોનું નેતૃત્વ કર્યું છે એવા IIM-કલકત્તાના મધુ ગુપ્તા જેવા તેજસ્વી શિષ્યનો પણ સમાવેશ થાય છે. ઉચ્ચ અસર પ્રણાલીઓમાં જેમના પ્રારંભિક કારકિર્દીના યોગદાનથી માપી શકાય તેવા નાણાકીય પરિણામો મેળવનાર કણવ બંસલ એક સાથે વિદ્વાન જ્ઞાનીઓની વિશ્લેષણાત્મક કઠોરતા, કાર્યકારી ક્ષમતા અને સ્થિતિસ્થાપકતાનું પ્રતિનિધિત્વ કરે છે.
નાણાકીય સહાય ઉપરાંત AALP માળખાગત ઉદ્યોગ વિસર્જન, માર્ગદર્શન અને મોટા પાયે માળખાગત સુવિધાઓ અને એન્ટરપ્રાઇઝ પ્લેટફોર્મ્સનો સંપર્ક સેતુ પૂરો પાડે છે, જે વર્ગખંડમાં શિક્ષણને કાર્યકારી વાસ્તવિકતાઓ સાથે જોડે છે. ભારત જેમ જેમ તેની વૃદ્ધિની મહત્વાકાંક્ષાઓને વેગ આપે છે તે જોતા શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સતત સહયોગ નેતૃત્વ ક્ષમતાના નિર્માણ માટે મહત્વપૂર્ણ બની રહેશે.
AALP હેઠળ અદાણી સમૂહનું લક્ષ્ય શ્રેષ્ઠતા, સુલભતા અને જવાબદારી આધારિત નેતુત્ની શ્રેણીબનાવવાનું છે.
જ્યાં આકાંક્ષા તકથી સક્ષમ બનીને વ્યક્તિગત સિદ્ધિ સામૂહિક પ્રગતિમાં યોગદાન આપે છે. એવી નેમ સાથેની ૨૦૨૫-૨૭ શિષ્યવૃત્તિઓ AALP ના સતત વિસ્તરણને એક પ્લેટફોર્મ તરીકે ચિહ્નિત કરે છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button