રાજનીતિ

સિદ્ધપુર તાલુકા તમામ ૫૭ ગામોના તળાવ નર્મદા કેનાલ આધારીત પાઇપલાઇનથી ભરવા મુખ્ય મંત્રીને રજુઆત કરતા કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત

સિદ્ધપુર તાલુકા તમામ ૫૭ ગામોના તળાવ નર્મદા કેનાલ આધારીત પાઇપલાઇનથી ભરવા મુખ્ય મંત્રીને રજુઆત કરતા કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત

સિદ્ધ પુર વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે જવાબદારીઓ સંભાળતા કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા સિદ્ધપુર તાલુકાના તમામ ૫૭ ગામો નર્મદા કેનાલ આધારીત પાઇપલાઇન મારફત ભરવા મુખ્ય મંત્રી અને સિંચાઇમંત્રીને દરખાસ્ત કરી છે.

આ અંગે જણાવતા મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા જણાવવામાં આવ્યુ કે;સિધ્ધપુર તાલુકા આજુબાજુથી (૧) ખોરસમ થી સરસ્વતી(માધુપાવડીયા) (૨) માતપુર થી કલ્યાણા-ડીંડરોલ-મુક્તેશ્વર (૩) મોટીદઉ-મુક્તેશ્વર-કરમાવદ અને (૪) કસરા-દાંતીવાડા નર્મદા કેનાલ આધારીત પાઇપલાઇન પસાર થાય છે. જે યોજના હેઠળ સિદ્ધપુર તાલુકાના કલ્યાણા,ડીંડરોલ,કુંવારા,કાકોશી, જાફરીપુરા,મામવાડા, ડુંગરીયાસણ,સહેસા ,નાગવાસણા,ગણવાડા, લુખાસણ અને નાગવાસણ- લુખાસણ વચ્ચે આવેલ ઉમરેચા ચેકડેમનો સમાવેશ થયેલ છે. આ ઉપરાંત પાઇપલાઇનથી આજુબાજુમાં આવતા ૩૦ ગામો માટે તાંત્રિક ચકાસણી કરી અંદાજ બનાવી મંજુરી અર્થે રજુ કરવામાં આવનાર છે.

તાલુકાના બાકી રહેતા ૨૪ ગામોને પણ (૧) ખોરસમ થી સરસ્વતી(માધુપાવડીયા) (૨) માતપુર થી કલ્યાણા-ડીંડરોલ-મુક્તેશ્વર (૩) મોટીદઉ-મુક્તેશ્વર-કરમાવદ અને (૪)કસરા-દાંતીવાડા નર્મદા કેનાલ આધારીત પાઇપલાઇનમાંથી ખાસ કિસ્સા તરીકે જરૂરત જણાયતો પંપીંગ મારફત અને ગ્રેવિટી મારફત પણ તાલુકાના તમામ ૫૭ ગામોના તળાવ નર્મદા કેનાલ આધારીત પાઇપલાઇન મારફત ભરવા માનનીય મુખ્ય મંત્રી અને માન. સિંચાઇ મંત્રી સમક્ષ દરખાસ્ત મુકી છે. આ અગાઉ રૂ.૧૫૬૬.૨૫ કરોડના ખર્ચે સિધ્ધપુર વિધાનસભા મત વિસ્તારના સરસ્વતી તાલુકાના ૧૬ ગામોના ૪૨ ગામોને કસરા-દાંતીવાડા નર્મદા કેનાલ આધારીત પાઇપલાઇન દ્વારા તળાવો ભરવાની યોજનાની કામગીરી પ્રગતિમાં છે. આ કામ થવાથી સરસ્વતી નદી રીચાર્જ થશે અને તાલુકાના ગામોમાં સિંચાઇ/પીવાના પાણીના સ્તર ઉંચા આવશે અને સિદ્ધપુર મત-વિસ્તારના લોકોને જીવનધોરણ ઉંચુ લાવવા ઉપયોગી થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button