કોંગ્રેસે ટેક સિટીને ટેન્કર સિટી બનાવી દીધું છે’, બેંગુલુરુમાં સિદ્ધારમૈયા સરકાર પર ગર્ચ્યા PM મોદી

‘કોંગ્રેસે ટેક સિટીને ટેન્કર સિટી બનાવી દીધું છે’, બેંગુલુરુમાં સિદ્ધારમૈયા સરકાર પર ગર્ચ્યા PM મોદી
કર્ણાટકની 28 લોકસભા બેઠકો પર 26 એપ્રિલ અને સાતમી મેએ બે તબક્કામાં મતદાન થવાનું – છે. જયારે બેંગલુરુ (Bengaluru)ની તમામ – બેઠકો પર 26 એપ્રિલે મતદાન થશે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બેંગુલુરુમાં એક જનસભા સંબોધી હતી. વડાપ્રધાને જનસભા દરમિયાન ગંભીર જળ સંકટ (Water Crisis) સામે ઝઝુમી
રહેલા બેંગલુરુનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રી સિ- દ્વારમૈયા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ‘ટેક સિટી’ને ‘ટેન્કર સિટી’ બનાવી દીધું છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી सिद्धारमैया (CM Siddaramaiah) વળતો જવાબ આપી પૂછ્યું કે, ‘જ્યારે કર્ણાટક (Karnataka Flood) अने हुण સામે ઝઝમી રહ્યું હતું, ત્યારે તેઓ ક્યાં હતાં?”
વડાપ્રધાને કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે, ‘નાદપ્રભુ કેમ્પેગોડાએ બેંગલુરુને એક શ્રેષ્ઠ શહેર બનાવવાનું સ્વપ્ન જોયું હતું. પરંતુ કોંગ્રેસ સરકારે થોડા સમય પહેલા જ અહીંની સ્થિતિ બગાડી દીધી. કોંગ્રેસે ટેક સિટીને ટેન્કર સિટીમાં બદલી શહેરને વૉટર માફિયાઓના હવાલે કરી દીધી છે. એગ્રીકલ્ચર હોય કે શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોંગ્રેસ સરકાર બધામાં બજેટ ઘટાડી રહી છે.