રેલ્વે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે દીપમાળા અને રામ જ્યોત પ્રજ્વલિત કરી અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરના સપરિવાર વધામણા કર્યા

સુરત:સોમવાર: અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પર્વે રામમય બનેલા સમગ્ર દેશમાં દિપાવલી જેવો ઉત્સવ જોવા મળી રહ્યો છે, ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું હતું. વડાપ્રધાનશ્રીના અહવાનને હર્ષોલ્લાસ સાથે ઝીલી લઇ કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે તેમના પૌત્ર તથા પતિ સાથે સંધ્યા સમયે તેમના સુરત સ્થિત નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણા કર્યા હતા.
તેમણે ભક્તિસભર માહોલમાં પરિવાજનો સાથે અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામ જ્યોત અને દીવડા પ્રજ્વલિત કરીને ઉજવણી તેમજ ભગવાન શ્રી રામની આરતી કરી પૂજન અર્ચન કર્યા હતા.