ધર્મ દર્શન
મનોહરબાવા ટેકરા ખાતે મહાકાળી માતાજીનો પાટોત્સવ

મનોહરબાવા ટેકરા ખાતે મહાકાળી માતાજીનો પાટોત્સવ
નવચંડી યજ્ઞ અને મહાઆરતીમાં શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું
સૈયદપુરા મનોહરબાવા ટેકરા સ્થિત શ્રી મહાકાળી માતાજીની સાલગીરી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત વહેલી સવારથી આકર્ષક પુષ્પવાટિકાથી મંદિરને સજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્નકુટ દર્શન, નવચંડી યજ્ઞ, સત્યનારાયણ ભગવાનની કથા, મહાઆરતી અને રાત્રે ભજન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્શન માટે સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.



