દેશ

ગરીબ કલ્યાણ મેળામાં સ્વચ્છતા સેલ્ફી પોઈન્ટ દ્વારા સૌ પદાધિકારીઓ-અધિકારીઓએ સેલ્ફી લઈને સ્વચ્છતાનો સંદેશો આપ્યોઃ

સુરતઃશુક્રવારઃ- “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪”ના અભિયાનની શરૂઆત સમગ્ર રાજયમાં થઈ ચુકી છે જે અંતર્ગત સુરત જિલ્લામાં પણ અનેક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, એન.જી.ઓ. સાથે મળીને જનજન સુધી સ્વચ્છતાનો સંદેશો પહોચવાના ધ્યેય સાથે ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’’ ની થીમ જનભાગીદારી સાથેની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બારડોલી ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સ્વચ્છતા સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં પર જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી ભાવિનીબેન પટેલ, ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર તથા મોહનભાઈ ઢોડિયા, જિલ્લા કલેકટર, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી, પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમાર તથા અન્ય પદાધિકારીઓ, અધિકારીઓએ સેલ્ફી લઈને સૌને સ્વચ્છતાનો પ્રેરક સંદેશ આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button