ગુજરાત

ધરમપુર રાજપૂત સમાજના અગ્રણી ગજેન્દ્રસિંહ રાઠોડનું અવસાન થતા પાલખીમાં બેસાડી બેન્ડવાજા અને ફટાકડાની રમઝટનના સાથે સ્મશાનયાત્રા નીકળી

ધરમપુર રાજપૂત સમાજના અગ્રણી ગજેન્દ્રસિંહ રાઠોડનું અવસાન થતા પાલખીમાં બેસાડી બેન્ડવાજા અને ફટાકડાની રમઝટનના સાથે સ્મશાનયાત્રા નીકળી

ધરમપુર અને દુલસાડ ગ્રામના રાજપુત સમાજનું ઘરેણું એવા ગજેન્દ્રસિંહ માધવસિંહ રાઠોડનું 85 વયે નિધન થતા સમગ્ર રાજપૂત સમાજ સહીત ધરમપુર નગરમાં શોકની લાગણી ફરી વળી હતી

આજરોજ સવારે નીકળેલી સ્મશાનયાત્રામાં એમને રજવાડી ઠાઠમાઠમાં સજ્જ કરી અલગ બનેવેલી પાલખીમાં બેસાડાયા હતા એટલું જ નહિ પરંતુ બેન્ડવાજા અને ફટાકડાની રમઝટનના સથવારે નીકળેલી સ્મશાનયાત્રા દુલસાડ અને ધરમપુર નગરના અગ્રણીઓ, રાજપૂત સમાજ સહીત વિવિધ સેવાકીય સંસ્થાના હોદ્દેદારો ગ્રામજનો જોડાયા હતા

 

 

મંગુકાકાના હુલામણા નામે ઓળખાતા મૂળ દુલસાડ રહેવાસી ગજેન્દ્રસિંહ રાઠોડ રાજપુત સમાજનું ગૌરવવંતુ સ્થાન ધરાવતા હતા ધાર્મિક અસ્થા જોડે ખુંપેલો રાઠોડ પરિવાર દર પૂનમે સત્યનારાયણ ભગવાનની કથા કરાવતા જે સિલસિલો આજે ત્રીજી પીઢીથી અકબંધ રાખી ગજેન્દ્રસિંહ રાઠોડે જાળવી રાખ્યો હતો, આ ઉપરાંત વર્ષે એક વાર બ્રહ્મભોજનનો પણ આગ્રહ અવશ્ય રાખતા અને સાથે સાથે ફળિયાના વિવિધ પરિવારોને પણ સાથે સમાવિષ્ઠ કરી અને સબંધોની માવજત કરતા, રાજપૂત સમાજની વિવિધ સેવાકીય ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃતિઓના રાહબાર રહ્યા હતા, પોતે હાથ ધરેલા નાનામાં નાના કાર્યોને સફળતા પૂર્વક પુરા કરવા અને પરિવારમાં પાંગરેલા પ્રેમને જીવંત રાખવા ક્યારેય કચાશ નહિ રખાનારા ગજેન્દ્રસિંહ રાઠોડની આકસ્મિક વિદાયથી રાઠોડ પરિવાર સહીત રાજપૂત સમાજ શોકાતુર બન્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button