ગુજરાત

ખાનદેશ સુપરસ્ટાર સચિન કુમાવત કરશે ‘એ આકાશવાણી ખમણ’ અને ‘બાજીરાવ મસ્તાની ભેળ’ની નવી શાખાઓનું ઉદ્ઘાટન

ખાનદેશ સુપરસ્ટાર સચિન કુમાવત કરશે ‘એ આકાશવાણી ખમણ’ અને ‘બાજીરાવ મસ્તાની ભેળ’ની નવી શાખાઓનું ઉદ્ઘાટન
સુરત : શહેરના સ્વાદપ્રેમી લોકો માટે લોકપ્રિય બનેલી ‘એ આકાશવાણી ખમણ’ વધુ બે નવી શાખાઓ સાથે પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવા જઈ રહી છે. વરાછા, કતારગામ અને સંજયનગર સર્કલ-લીંબાયત વિસ્તારમાં મળેલા સારા પ્રતિસાદ બાદ હવે સંસ્થાની 6મી અને 7મી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે.
સંસ્થાના સંચાલક ઈશ્વર પાટીલે જણાવ્યું હતું કે ગુરુવાર, 11 જૂને સવારે ગોડાદરા રોડ સ્થિત મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલા બજરંગબલી મંદિર નજીક ‘એ આકાશવાણી ખમણ’ની નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે ડિંડોલી વિસ્તારમાં મહારાણા પ્રતાપ BRTS બસ સ્ટેશન સામે, મહાદેવનગર ખાતે આવેલા સાઈબાબા મંદિર નજીક ‘બાજીરાવ મસ્તાની ભેળ’ની નવી શાખાનો પ્રારંભ કરવામાં આવશે.
આ બંને ઉદ્ઘાટન સમારોહમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ખાનદેશ સુપરસ્ટાર તથા બિગ બોસ ફેમ સચિન કુમાવત રહેશે, જે વિશેષ અતિથિ તરીકે હાજરી આપી નવી શાખાઓનું ઉદ્ઘાટન કરશે.
આયોજકોના જણાવ્યા મુજબ કાર્યક્રમને લઈને સ્થાનિક નાગરિકો તેમજ સચિન કુમાવતના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવી શાખાઓના પ્રારંભથી ગોડાદરા અને ડિંડોલી વિસ્તારના લોકોને સ્વાદિષ્ટ અને ગુણવત્તાસભર નાસ્તા તથા ભેળનો વધુ એક ઉત્તમ વિકલ્પ ઉપલબ્ધ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button