લોક સમસ્યા

સ્વચ્છતા હી સેવા: તીર્થસ્થળોની સ્વચ્છતા ઝુંબેશ-સુરત

સુરતઃબુધવાર: અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તા.૧૪ થી ૨૨ જાન્યુ.-૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, જેના ભાગરૂપે ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારે બારડોલી તાલુકાના ભામૈયા ગામે સાંઈ મંદિરમાં સાફ-સફાઈ કરી હતી. યાત્રાધામોમાં ધ્યાન, પ્રાર્થના અને સત્સંગ માટે અનુકૂળ માહોલના નિર્માણ માટે સ્વચ્છતા ખૂબ જરૂરી છે. જેથી સૌ નાગરિકોએ ધાર્મિકસ્થળોને સ્વચ્છ રાખવા તેમણે અનુરોધ કર્યો હતો.

સફાઈ ઝુંબેશમાં સરપંચ ઉષાબેન આનંદભાઈ, ઉપસરપંચ રજનીભાઈ, તલાટી કમ મંત્રી, ગ્રામજનો, તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશનના સ્ટાફગણ જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button