પ્રાદેશિક સમાચાર
સામાજિક વનીકરણ હેઠળ વાવેતર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું

Sabarkantha News: સામાજિક વનીકરણ હેઠળ સાબરકાંઠા જિલ્લાની આગવી પહેલ અંતર્ગત હિંમતનગર હસ્તકની વિસ્તરણ રેન્જ દ્વારા આજે મોતીપુરા કેનાલથી બોરીયા-પીપલોદીના પાટીયા સુધીના ૧૪ કિલોમીટરના કેનાલના પટ્ટામાં અંદાજે ૩ હેક્ટર જેટલા વિસ્તારમાં અંદાજે ૪૮૦૦ રોપાનું વાવેતર કરવાનુ કાર્ય શરૂ કરાવ્યું.
આ સમગ્ર વાવેતર અગાઉના કેનાલ સાઇડના દબાણો દૂર કરીને ૨૦૨૪-૨૫ ના વર્ષમાં અને “એસ” મોડેલ હેઠળ પટ્ટી વાવેતર (સ્ટ્રીપ પ્લાન્ટેશન)થી ફેન્સિંગ હેઠળ કરવાનું અને આગામી ત્રણ વર્ષમાં અંદાજે ૧૮૦૦૦ રોપાઓ વાવવા જિલ્લા વહીવટી તંત્રનું આ આયોજન છે. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી, પોલીસ અધિક્ષકશ્રી પણ જોડાયા હતા.