નારાયણ સેવા સંસ્થાનનો નિ:શુલ્ક નારાયણ લિમ્બ અને કૈલિપર્સ ફિટમેન્ટ શિબીર મહારાજા અગ્રસેન ભવન, સિટીલાઈટ ખાતે આયોજિત કરવામાં આવ્યો

નારાયણ સેવા સંસ્થાનનો નિ:શુલ્ક નારાયણ લિમ્બ અને કૈલિપર્સ ફિટમેન્ટ શિબીર મહારાજા અગ્રસેન ભવન, સિટીલાઈટ ખાતે આયોજિત કરવામાં આવ્યો
શિબીરમાં સુરતના ૩૭૯ થી વધુ દિવ્યાંગોને અપર-લોઅર અને મલ્ટિપલ કૃત્રિમ અંગો અને કૈલિપર્સ લગાવ્યા
સુરત, 11 મે 2025 : નારાયણ સેવા સંસ્થાન દ્વારા મફત આરોગ્ય અને કોલિપર્સ ફીટમેન્ટ શિબીર મહારાજા અગ્રસેન ભવન, સિટી લાઇટમાં આયોજિત કરવામાં આવી હતી. શિબીરમાં સુરતના 379 કરતાં વધુ દિવ્યાંગોને અપર-લોઅર અને મલ્ટીપલ કૃત્રિમ અંગ અને કોલિપર્સ લગાવ્યા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વિધાયક મનુભાઈ પટેલ, પૂર્વમંત્રી દર્શના બેન ઝરદોસ, જયપ્રકાશ અગ્રવાલ, શ્રવણકુમાર અગ્રવાલ, નારાયણ સેવા સંસ્થાનના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલ અને ટી એમ પટેલ આંતરરાષ્ટ્રીય શાળાના ચેરમેન હરીશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, જીતુભાઈ પટેલે હાજરી આપી. મુખ્ય અતિથિ વિધાયક મનુભાઈએ જણાવ્યું હતું કે, નારાયણ સેવા સંસ્થા દિવ્યાંગોને સશક્ત બનાવતી નથી જ પરંતુ તેમના ખોવાયેલા આત્મવિશ્વાસ અને નિરાશા દૂર કરવાનું કામ કરી રહી છે. આ સમાજ માટે ઉપયોગી કાર્ય છે. આવી વિચારધારાના કારણે જ વિશ્વ એક પરિવારના સ્વપ્ન પુરા થઈ શકે છે. તેમણે સંસ્થાને દરેક રીતે મદદ કરવાનો વિશ્વાસ આપ્યો. તેમજ સંસ્થાનના સંસ્થાપક કૈલાશ માનવ અને અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલની વર્ષોની સેવા સાધનાની પ્રશંસા કરી. સાથે કેમ્પથી લાભ લેતા પોતાના પગોથી હિંમત સાથે નવું જીવન શરૂ કરી રહેલ દિવ્યાંગ લોકોને અભિનંદન આપ્યાં.
શિબીરની શરૂઆત દીપ પ્રજ્જ્વલિત કરીને થઈ. અધ્યક્ષે 8 સમાજ સેવકોને નારાયણ સેવા હેઠળનો સર્વોચ્ચ એવોર્ડ આપી સન્માનિત કર્યા. આ દરમિયાન બધા મહેમાનોને મુલાકાત લીધી, દર્દીઓની આપવીતી સાંભળી અને ડૉક્ટર પાસેથી ફિટમેન્ટની પ્રક્રિયા જાણી. લાભાર્થી દિવ્યાંગોને તાલીમ આપવામાં આવી, બેટબોલ અને ફૂટબોલ પણ રમ્યા. શરૂઆતમાં નારાયણ સેવા સંસ્થાનના અધ્યક્ષ પ્રશાંત ગ્રવાલે મંચ પર હાજર મહેમાનોનું મેવાડી પરંપરાથી સ્વાગત કર્યું. તેમણે સંસ્થાનની એક મુઠ્ઠી આટાથી આજ સુધીની સેવાઓથી અવગત કરાવ્યું. અધ્યક્ષે પ્રથમવાર પગ લગાવનાર અને બાળકો સાથે મળી તેમને ભવિષ્યમાં શિક્ષણ અને ચિકિત્સા માટે સહાય કરવાનો વિશ્વાસ આપવામાં આવ્યો.
અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલએ કહ્યું કે દિવ્યાંજનને તેમના ઘર નજીક મદદ પહોંચાડવા માટે ૨૩ ફેબ્રુઆરીએ સુરતમાં કેમ્પ રાખવામાં આવેલ હતો. જેમાં ૫૦૦ થી વધુ દર્દી આવ્યા, જેમાંથી ૩૭૯ દિવ્યાંગોને નારાયણ લીંબ અને કેલિપર્સ માટે પસંદ કરવામાં આવ્યા. જેમને આજે આત્મવિશ્વાસથી ભરેલ જીવનની ભેટ મળી છે. સમારોહમાં કૃત્રિમ અંગ પહેરીને દિવ્યાંગોએ પેરેડ કરી. દિવ્યાંગોને સંસ્થાના ડોક્ટરે ચાલવાની તાલીમ આપી તેમજ લીંબના જાળવણી વિશેની માહિતી આપી. તેમણે કેમ્પની રિપોર્ટ આપતી વખતે કહ્યું કે સંસ્થાએ એક સાથે મોટી સંખ્યામાં દિવ્યાંગોને જર્મન ટેક્નોલોજીના નારાયણ લીંબ પહેરાવીને ઘરે વિદાય કર્યા. જેઓ વર્ષો પહેલા કોઈ દુર્ઘટનામાં પોતાના હાથ-પગ ગુમાવવાથી છ્લવા ફરવામાં અસમર્થ થઈ ગયા હતા. જેના કારણે તેમની જિંદગી અટકી ગઈ હતી. સંસ્થાની ૬૫ સભ્યોની ટીમે સેવા આપી. સુરત શાખાના પ્રભારી અચલસિંહ ભાટીએ આતિથિઓનો આભાર માન્યો.