ક્રાઇમ

સુરતમાં રોજગારી નહીં મળતાં આધેડનો આપઘાત સુરતઃ સુરત ખાતે અઠવાડિયા અગાઉ રોજગારીની શોધમાં યુપીથી આવેલા આધેડે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી

સુરતમાં રોજગારી નહીં મળતાં આધેડનો આપઘાત સુરતઃ સુરત ખાતે અઠવાડિયા અગાઉ રોજગારીની શોધમાં યુપીથી આવેલા આધેડે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. પરિવારે હત્યા હોવાનો આક્ષેપ કરતા નવી સિવિલ હોસ્પિ.માં ફોરેન્સીક પીએમ કરાતા આત્મહત્યા કરી હોવાનુ સામે આવ્યું હતું. મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ પાંડેસરા શિવશક્તિ સોસાયટીમાં રહેતા પપ્પુ બાબુસિહ ચૌહાણ (ઉ.વ.43)ની ગઈ બપોરે પોતાના ઘરેથી લોખંડના ગોળા સાથે વાયર બાંધેલી હાલતમાં ફાંસો ખાધેલી લાશ મળી આવી હતી. પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પરિવારે આક્ષેપ કર્યો હતો કે પપ્પુની હત્યા કરવામાં આવી છે. પોલીસે હત્યાના આક્ષેપને ધ્યાને લઈ ફોરેન્સીક પીએમ કરાવ્યું હતું. જેમાં આત્મહત્યા કરી હોવાનુ સામે આવ્યું હતું. વધુમાં જાણવા મળ્યું હતુ કે પપ્પુ અઠવાડિયા અગાઉ રોજગારી માટે સુરત આવ્યો હતો. હાલ પપ્પુ કેટરિંગનું કામ કરીને વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના આપઘાત પાછળનુ કારણ જાણી શકાયુ નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button